અધ્યાય-૧૬૦-કુંતીનો બ્રાહ્મણને પ્રશ્ન
II कुन्त्युवाच II कुतोमुलमिदं दुःखं ज्ञातुमिच्छामितत्वत्तः I विदित्वाप्यकर्पेयं शक्यं चेदपकर्पितुम् II १ II
કુંતી બોલી-તમારા આ દુઃખનું મૂળ ક્યાં છે?તે હું તત્ત્વતઃ જાણવા ઈચ્છું છું,
તે જાણીને,તે દુઃખ દૂર કરવાનું શક્ય હશે તો હું તેમ કરીશ,માટે તે તમે મને કહો (1)
બ્રાહ્મણ બોલ્યો-હે તપોધના,તમે જે બોલો છે તે સંતોને છાજે તેવું છે,પણ મારુ આ દુઃખ કોઈ માનવીથી દૂર
થાય તેમ નથી.આ દુઃખ એ છે કે-નગરની સમીપ મહાબળવાન બક (બકાસુર) નામનો રાક્ષસ રહે છે જે આ નગર અને પ્રદેશનો સ્વામી છે.માણસનું માંસ ખાઈને તે દુર્બુદ્ધિ પુષ્ટ થયો છે,(જો કે) તે આ પ્રદેશનું નિત્ય રક્ષણ કરે છે
કે જેથી,અમને કોઈ શત્રુઓને પ્રાણીઓની ભીતિ નથી.(2-5)