Apr 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-152

 
અધ્યાય-૧૬૦-કુંતીનો બ્રાહ્મણને પ્રશ્ન 

II कुन्त्युवाच II कुतोमुलमिदं दुःखं ज्ञातुमिच्छामितत्वत्तः I विदित्वाप्यकर्पेयं शक्यं चेदपकर्पितुम् II १ II

કુંતી બોલી-તમારા આ દુઃખનું મૂળ ક્યાં છે?તે હું તત્ત્વતઃ જાણવા ઈચ્છું છું,

તે જાણીને,તે દુઃખ દૂર કરવાનું શક્ય હશે તો હું તેમ કરીશ,માટે તે તમે મને કહો (1)

બ્રાહ્મણ બોલ્યો-હે તપોધના,તમે જે બોલો છે તે સંતોને છાજે તેવું છે,પણ મારુ આ દુઃખ કોઈ માનવીથી દૂર 

થાય તેમ નથી.આ દુઃખ એ છે કે-નગરની સમીપ મહાબળવાન બક (બકાસુર) નામનો રાક્ષસ રહે છે જે આ નગર અને પ્રદેશનો સ્વામી છે.માણસનું માંસ ખાઈને તે દુર્બુદ્ધિ પુષ્ટ થયો છે,(જો કે) તે આ પ્રદેશનું નિત્ય રક્ષણ કરે છે 

કે જેથી,અમને કોઈ શત્રુઓને પ્રાણીઓની ભીતિ નથી.(2-5)

Apr 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-151

અધ્યાય-૧૫૯-બ્રાહ્મણપુત્ર ને પુત્રીનાં વચન 

II वैशंपायन उवाच II तयोर्दुखितयोर्वाक्यमतिमात्रं निशम्य तु I ततो दुःखपरितांगी कन्या तावम्यभाषत II १ II

વૈશંપાયન બોલ્યા-તે બેઉ (પતિ-પત્ની)નાં વચનોને પુરાં સાંભળીને સર્વાંગે દુખે ઘેરાયેલી તે કન્યા (પુત્રી)

તે બંનેને કહેવું લાગી કે-'તમે બંને અત્યંત દુઃખાતુર થઇ અનાથની જેમ કેમ રોઈ રહ્યા છો? તમે મારુ વચન સાંભળો અને તે સાંભળીને તમને યોગ્ય લાગે તેમ કરો.ધર્મ અનુસાર તમારે બંને મારો જ ત્યાગ કરવો ઘટે છે,એમાં સંશય નથી.ટી ત્યજવાને યોગ્ય એવી મને ત્યજીને તમે સૌની રક્ષા કરો.'સંતતિ પોતાને તારશે' એ હેતુથી જ સૌ સંતતિને ઈચ્છે છે,તો આ આવી ઉભેલા સંકટકાળે તમે મને હોડી રૂપ કરીને તરી જાઓ.(1-4)

Apr 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-150

 
અધ્યાય-૧૫૮-બ્રાહ્મણીનાં વચન 

II ब्राह्मण्युवाच II न संतापस्तव्या कार्यः प्राकृतेनेव कहिचित् I न हि संतापकालोऽयं वैद्यस्य तव विद्यते II १ II

બ્રાહ્મણી બોલી-પ્રાકૃત માણસની જેમ,તમારે,ક્યારેય આવો સંતાપ કરવો ન જોઈએ.તમારા જેવા વિદ્વાનને માટે આ સંતાપનો સમય નથી.આ લોકમાં સૌ મનુષ્યોને,એક દિવસ તો મરણના પંથે જવાનું જ છે.માટે,તેને માટે સંતાપ કરવો યોગ્ય નથી.પત્ની,પુત્ર,પુત્રી -એ સૌને,સર્વ લોક સ્વકલ્યાણ માટે જ ઈચ્છે છે.તમે સદબુદ્ધિ ધારણ કરીને વ્યથાને છોડી દો,

હું પોતે જ (બકાસુર રાક્ષસ પાસે) ત્યાં જઈશ,કેમ કે સ્ત્રીઓનું સનાતન કર્તવ્ય છે કે પત્નીએ પ્રાણને ઓવારીને પણ સ્વામીની હિત આચરવું.પત્નીનો એ મહાન ધર્મ છે.

Apr 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-149

બકવધ પર્વ 

અધ્યાય-૧૫૭-બ્રાહ્મણની ચિંતા 


II जनमेजय उवाच II एकचक्रां गतास्ते तु कुन्तीपुत्रा महारथाः I अत ऊर्ध्वं द्विजश्रेष्ठ किमकुर्वत पाण्डवाः II १ II

જન્મેજય બોલ્યા-હે દ્વિજશ્રેષ્ઠ,તે મહારથી કુંતીપુત્ર પાંડવોએ એકચક્રમાં ગયા પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-તે કુંતીપુત્રો,થોડો વખત તે બ્રાહ્મણના ઘરમાં રહ્યા.તે સૌ,વનો,સરિતાઓ,સરોવરોની મુલાકાતો લેતા,ને રાતે નગરમાંથી ભિક્ષા લાવીને,કુંતીને અર્પણ કરતા,ને કુંતી જે અલગ અલગ ભાગ પાડી આપતી તે ખાતા.

ભિક્ષાનો અર્ધો ભાગ ભીમ ખાતો ને અર્ધા ભાગમાંથી,માતા ને બીજા ભાઈઓ ખાતા.પોતાના ગુણોને લીધે,

તે કુન્તીપુત્રો,નગરના લોકોમાં પ્રિય થઇ પડ્યા હતા.એ રીતે ઘણો કાળ વહી ગયો (1-7)

Apr 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-148

 
અધ્યાય-૧૫૫-ઘટોત્કચનો જન્મ 

II भीमसेन उवाच II स्मरंति वैरं रक्षांसि मायमाश्रित्य मोहिनीं I हिडिम्बे व्रज पन्थानं स्वमिमं भ्रातृसैवितम् II १ II

ભીમ બોલ્યો-'હે હિડિમ્બા,રાક્ષસો મોહિની માયાનો આશ્રય કરીને પોતાના વેરોને સંભારી રાખે છે,

તો તું પણ તારા ભાઈએ સેવેલા (રાક્ષસી)રસ્તે પડ.'

યુધિષ્ઠિર બોલ્યા-'હે ભીમ,તું ક્રોધમાં સ્ત્રીનો વધ કરીશ નહિ,શરીરના રક્ષણ કરતાં ય તું ધર્મનું અધિક રક્ષણ કર,

વધની ઈચ્છાએ આવેલા તે હિડિમ્બને તે માર્યો છે,તો તે રાક્ષસની બહેન ક્રોધે ભરાઈને આપણને શું કરી શકશે?'