અધ્યાય-૧૬૨-યુધિષ્ઠિર ને કુંતીનો સંવાદ
II वैशंपायन उवाच II करिष्य इति भीमेन प्रतिज्ञातेSथ भारत I आजम्युस्ते ततः सर्वे भैक्षमादाय पाण्डवाः II १ II
વૈશંપાયન બોલ્યા-ભીમે જયારે 'હું કરીશ' એવી પ્રતિજ્ઞા કરી,ત્યાં તો સર્વ પાંડવો ભિક્ષા મેળવીને આવ્યા,
ભીમના મોં પરના ભાવને કળી જઈને,યુધિષ્ઠિર,એકાંતમાં માતા કુંતીને પૂછવા લાગ્યા કે-'આ ભયંકર પરાક્રમી
ભીમે શું કામ કરવા ધાર્યું છે?તમારી એમાં સંમત્તિ છે? કે પોતે જ તે કરવાનું લઇ બેઠો છે?
કુંતી બોલી-મારા વચનથી જ,બ્રાહ્મણના માટે ને નગરના મોક્ષ માટે તે એક મહાન કાર્ય કરશે (1-4)




