Apr 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-157

 
અધ્યાય-૧૬૮-પાંડવો પાંચાલ દેશમાં 

II वैशंपायन उवाच II एत्च्छ्रुत्वातु कौन्तेयाः शल्यविद्धा इयाभवन I सर्वे चास्यास्थमनसो वभृयुस्ते महाबलाः II १ II

વૈશંપાયન બોલ્યા-આ સાંભળીને મહાબળવાન કુંતીપુત્રો,જાને શલ્ય (બાણ)થી વીંધાયા હોય તેવા થઇ ગયા.ને તે સૌનાં મન અસ્વસ્થ થયાં.તેમને આમ મૂઢ જેવા થયેલા જોઈને,કુંતીએ યુધિષ્ઠિરને કહ્યું કે-'અહીં આ બ્રાહ્મણને ઘેર ઘણા દિવસો સુધી રહ્યા ને ભિક્ષા લાવીને સમય પસાર કર્યો છે.વળી,આસપાસનાં વનો,ઉપવનો પણ આપણે ફરીફરીને અનેકવાર જોયાં છે,જેથી ફરીવાર જોવામાં પ્રસન્નતા રહેતી નથી,ને હવે ભિક્ષા પણ બરોબર મળતી નથી,તો તમને ઠીક લાગતું હોય તો આપણે સુખેથી,ન જોયેલા રમણીય પાંચાલ દેશમાં જઈએ.(1-5)

Apr 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-156

અધ્યાય-૧૬૭-દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્નની ઉત્પત્તિ 

II ब्राह्मण उवाच II अमर्पी द्रुपदो राज कर्मसिद्धान द्विजर्पमान I अन्विच्छन्परिचक्राम ब्राह्मणावसथान बहुन् II १ II

બ્રાહ્મણ બોલ્યો-પછી,ડંખીલો (વેરવાળો) તે દ્રુપદરાજ,કર્મમાં સિદ્ધ એવા શ્રેષ્ઠ દ્વિજોને શોધતો,અનેક બ્રાહ્મણોના ઘેર આથડયો.પુત્રોત્પત્તિના શોકથી મૂઢચિત્ત થયેલો તે પુત્રના જન્મની ઈચ્છા કર્યા કરતો હતો.ને નિત્ય ચિંતા કર્યા કરતો હતો કે-'હાય,મને શ્રેષ્ઠ બાળક નથી' ને ઊંડા ઊંડા નિસાસા નાખતો હતો.દ્રોણના પ્રભાવ,વિનય,શિક્ષા તથા ચરિતોને સંભારીને તે નૃપશ્રેષ્ઠ,બદલો લેવાના યત્ન કરતો હતો પણ તેને કોઈ ઉપાય લાધતો નહોતો (1-4)

Apr 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-155

 
ચૈત્રરથપર્વ 

અધ્યાય-૧૬૫-દ્રૌપદીની ઉત્પત્તિ 

II जनमेजय उवाच II ते तथा पुरुषव्याघ्रा निहत्य बकराक्षसं I अत ऊर्ध्व ततोब्रह्मन्किमकुर्वत पाण्डवाः II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,બક રાક્ષસને મારીને તે પુરુષસિંહ પાંડવોએ પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પછી,તેઓ બ્રાહ્મણના ઘરમાં વેદવેદાંતનું પરમ અધ્યયન કરતા રહ્યા.

કેટલાક સમય બાદ,એક ઉત્તમવ્રતી બ્રાહ્મણ,એ બ્રાહ્મણને ઘેર રહેવા આવ્યો.શુભ કથા કહેતા એ બ્રાહ્મણનું સર્વેએ

પૂજન કર્યું.તે બ્રાહ્મણે,સર્વ દેશો,તીર્થો,સરિતાઓ,રાજાઓનાં નગરો વિષે કહ્યું,ને કથાના અંતે,તેણે,પાંચાલ દેશમાં,

યજ્ઞસેન(દ્રુપદ)પુત્રીના સ્વયંવર વિશે.ધૃષ્ટદ્યુમ્નના જન્મ વિશે,શિખંડીની ઉત્પત્તિ વિશે,ને દ્રુપદના મહાયજ્ઞમાં દ્રૌપદીના અયોનિજન્મ વિશેની સઘળી કથા કહી.તે અત્યંત આશ્ચર્યકારક કથા સાંભળીને,પાંડવોએ તેને પૂછ્યું કે-

Apr 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-154

અધ્યાય-૧૬૩-ભીમ અને બકાસુરનું યુદ્ધ 

II युधिष्ठिर उवाच II उपपन्नमिदं मातस्त्वया यद्बुध्धिपुर्वकम् I आर्तस्य ब्राह्मणस्यैतदनुक्रोशादिदं कृतम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મા,દુઃખી બ્રાહ્મણ પર દયા કરીને તમે આ જે બુદ્ધિપૂર્વક કર્યું તે યોગ્ય જ છે.તમે નિત્ય,બ્રાહ્મણ પર દયાવાળા છો,એટલે આ ભીમ,તે નરભક્ષક રાક્ષસને મારીને અવશ્ય પાછો આવશે.પણ,નગરવાસીઓ,આ જાણી જાય નહિ,તે માટે આ બ્રાહ્મણને કહેવું,ને યત્નપૂર્વક તેની પાસે સ્વીકારાવવું પડશે (1-3)

Apr 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-153

અધ્યાય-૧૬૨-યુધિષ્ઠિર ને કુંતીનો સંવાદ 

II वैशंपायन उवाच II करिष्य इति भीमेन प्रतिज्ञातेSथ भारत I आजम्युस्ते ततः सर्वे भैक्षमादाय पाण्डवाः II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમે જયારે 'હું કરીશ' એવી પ્રતિજ્ઞા કરી,ત્યાં તો સર્વ પાંડવો ભિક્ષા મેળવીને આવ્યા,

ભીમના મોં પરના ભાવને કળી જઈને,યુધિષ્ઠિર,એકાંતમાં માતા કુંતીને પૂછવા લાગ્યા કે-'આ ભયંકર પરાક્રમી 

ભીમે શું કામ કરવા ધાર્યું છે?તમારી એમાં સંમત્તિ છે? કે પોતે જ તે કરવાનું લઇ બેઠો છે? 

કુંતી બોલી-મારા વચનથી જ,બ્રાહ્મણના માટે ને નગરના મોક્ષ માટે તે એક મહાન કાર્ય કરશે (1-4)