II वैशंपायन उवाच II एत्च्छ्रुत्वातु कौन्तेयाः शल्यविद्धा इयाभवन I सर्वे चास्यास्थमनसो वभृयुस्ते महाबलाः II १ II
વૈશંપાયન બોલ્યા-આ સાંભળીને મહાબળવાન કુંતીપુત્રો,જાને શલ્ય (બાણ)થી વીંધાયા હોય તેવા થઇ ગયા.ને તે સૌનાં મન અસ્વસ્થ થયાં.તેમને આમ મૂઢ જેવા થયેલા જોઈને,કુંતીએ યુધિષ્ઠિરને કહ્યું કે-'અહીં આ બ્રાહ્મણને ઘેર ઘણા દિવસો સુધી રહ્યા ને ભિક્ષા લાવીને સમય પસાર કર્યો છે.વળી,આસપાસનાં વનો,ઉપવનો પણ આપણે ફરીફરીને અનેકવાર જોયાં છે,જેથી ફરીવાર જોવામાં પ્રસન્નતા રહેતી નથી,ને હવે ભિક્ષા પણ બરોબર મળતી નથી,તો તમને ઠીક લાગતું હોય તો આપણે સુખેથી,ન જોયેલા રમણીય પાંચાલ દેશમાં જઈએ.(1-5)