II वैशंपायन उवाच II गते भगवति व्यासे पाण्डवा हृष्टमानसाः I ते प्रतस्थु: पुरुस्कृत्य मातरं पुरुषर्पभाः II १ II
વૈશંપાયન બોલ્યા-વ્યાસજી ત્યાંથી ગયા,પછી આનંદિત મનવાળા તે પુરુષસિંહ પાંડવો,માતાને આગળ રાખી,પાંચાલ નગર તરફ જવા નીકળ્યા.તે પહેલાં,તે પરંતપોએ બ્રાહ્મણની આજ્ઞા લીધી ને તેને નમસ્કાર કરી સન્માન આપ્યું,ને પછી,તેઓ સીધા ઉત્તરના માર્ગે ચાલ્યા.ને એક દિવસ-એક રાત ચાલ્યા પછી,ગંગા કિનારા પરના સોમાશ્રયણ તીર્થે પહોંચ્યા.(ત્યાં જતાં રસ્તે રાતના સમયે) મહારથી અર્જુન,પ્રકાશ માટે,હાથમાં ઉંબાડિયું (મશાલ) લઈને આગળ ચાલતો હતો.તે વખતે ગંગામાં એક ઈર્ષાળુ ગંધર્વ,સ્ત્રીઓને લઇ જળક્રીડા કરવા આવ્યો હતો (1-5)




