II अर्जुन उवाच II किंनिमित्तममृद्वैरं विश्वामित्रवशिष्ठयोः I वसतोराश्रमे दिव्ये शंस नः सर्वमेवतत II १ II
અર્જુન બોલ્યો-પોતપોતાના દિવ્ય આશ્રમમાં રહેતા,વશિષ્ઠ અને વિશ્વામિત્રને,કેમ વેર થયું હતું? તે બધું મને કહો.
ગંધર્વ બોલ્યો-હે પાર્થ,કુશિકનો,એક લોકપ્રસિદ્ધ પુત્ર,ગાધી,કાન્યકુબ્જમાં મહારાજા હતો.વિશ્વામિત્ર તેનો પુત્ર હતો.
તે શત્રુમર્દન પાસે,પુષ્કળ સેના અને વાહનો હતાં.એકવાર તે વિશ્વામિત્ર,મૃગયા કરતા હતા,ત્યારે શ્રમથી થાકેલા,
અને તરસ્યા થયેલા તે વસિષ્ઠના આશ્રમમાં આવી પહોંચ્યા.વશિષ્ઠે તેમનો આદર કર્યો,ને સ્વાગત કર્યું.(1-7)