II गन्धर्व उवाच II कल्माषपाद इत्येवं लोके राज वभूव ह I इक्ष्वाकुवंशजः पार्थ तेजसाSसदशो भुवि II १ II
ગંધર્વ બોલ્યો-હે પાર્થ,પૃથ્વીમાં અજોડ તેજસ્વી,કલ્માષપાદ નામે એક રાજા ઇક્ષ્વાકુ વંશમાં થયો હતો.
તે રાજાને વિશ્વામિત્રે યજમાન કરવા ઈચ્છઓ હતો.તે રાજા એક વાર મૃગયાએ નીકળ્યો ને અનેક પ્રાણીઓને
માર્યા પછી,તે મૃગયામાંથી નિવૃત્ત થયો ત્યારે તે ભૂખ ત્રાસથી થાક્યો હતો,ને ત્યારે તે રાજાએ,એક જ માણસ
એકી વખતે જઇ શકે એવી કેડી પર,સામેથી વસિષ્ઠના સૌથી મોટા પુત્ર શક્તિમુનિને સામેથી આવતા જોયા.
રાજાએ તેમને કહ્યું કે-'તમે અમારા માર્ગમાંથી હટી જાઓ'




