Apr 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-163

 
અધ્યાય-૧૭૬-વસિષ્ઠ ચરિત્ર તથા કલ્માષપાદ રાજાની કથા 

II गन्धर्व उवाच II कल्माषपाद इत्येवं लोके राज वभूव ह I इक्ष्वाकुवंशजः पार्थ तेजसाSसदशो भुवि II १ II

ગંધર્વ બોલ્યો-હે પાર્થ,પૃથ્વીમાં અજોડ તેજસ્વી,કલ્માષપાદ નામે એક રાજા ઇક્ષ્વાકુ વંશમાં થયો હતો.

તે રાજાને વિશ્વામિત્રે યજમાન કરવા ઈચ્છઓ હતો.તે રાજા એક વાર મૃગયાએ નીકળ્યો ને અનેક પ્રાણીઓને 

માર્યા પછી,તે મૃગયામાંથી નિવૃત્ત થયો ત્યારે તે ભૂખ ત્રાસથી થાક્યો હતો,ને ત્યારે તે રાજાએ,એક જ માણસ 

એકી વખતે જઇ શકે એવી કેડી પર,સામેથી વસિષ્ઠના સૌથી મોટા પુત્ર શક્તિમુનિને સામેથી આવતા જોયા.

રાજાએ તેમને કહ્યું કે-'તમે અમારા માર્ગમાંથી હટી જાઓ'

Apr 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-162

 
અધ્યાય-૧૭૫-વસિષ્ઠે વિશ્વામિત્રનો કરેલો પરાભવ 

II अर्जुन उवाच II किंनिमित्तममृद्वैरं विश्वामित्रवशिष्ठयोः I वसतोराश्रमे दिव्ये शंस नः सर्वमेवतत II १ II

અર્જુન બોલ્યો-પોતપોતાના દિવ્ય આશ્રમમાં રહેતા,વશિષ્ઠ અને વિશ્વામિત્રને,કેમ વેર થયું હતું? તે બધું મને કહો.

ગંધર્વ બોલ્યો-હે પાર્થ,કુશિકનો,એક લોકપ્રસિદ્ધ પુત્ર,ગાધી,કાન્યકુબ્જમાં મહારાજા હતો.વિશ્વામિત્ર તેનો પુત્ર હતો.

તે શત્રુમર્દન પાસે,પુષ્કળ સેના અને વાહનો હતાં.એકવાર તે વિશ્વામિત્ર,મૃગયા કરતા હતા,ત્યારે શ્રમથી થાકેલા,

અને તરસ્યા થયેલા તે વસિષ્ઠના આશ્રમમાં આવી પહોંચ્યા.વશિષ્ઠે તેમનો આદર કર્યો,ને સ્વાગત કર્યું.(1-7)

Apr 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-161

 
અધ્યાય-૧૭૪-પાંડવોને પુરોહિત કરવાની સલાહ 

II वैशंपायन उवाच II स गन्धर्ववचः श्रुत्वा तत्तादभरतपर्म I अर्जुनः परया भक्त्या पूर्णचन्द्र इवावमौ II १ II

વૈશંપાયન બોલ્યા-હે  ભરતોત્તમ,ત્યારે ગંધર્વનું તે વચન સાંભળીને,અર્જુન પરમ ભક્તિપૂર્વક પૂર્ણચંદ્રની જેમ શોભી રહ્યો.પછી,વસિષ્ઠના તપોબળ,વિશે,અત્યંત કુતુહલ પામેલા તે અર્જુને ગાંધર્વને કહ્યં કે-'તમે વસિષ્ઠ નામે જે ઋષિ વિશે કહ્યું તે અમારા પૂર્વજોના પુરોહિત ઋષિ વિષે હું યથાવત સર્વ સાંભળવા ઈચ્છું છું.તો તે મને કહો (1-4)

(નોંધ-અહીં હવે,અધ્યાય-174 થી અધ્યાય-182 સુધી વસિષ્ઠ અને વિશ્વામિત્રની કથા છે,પાંડવોએ પુરોહિત કરવા જોઈએ,તે સંબંધી,

પુરોહિત વસિષ્ઠની આ કથા કહેવામાં આવી છે.અધ્યાય-183 માં પાંડવો ધૌમ્યઋષિને પુરોહિત બનાવે છે-અનિલ)

Apr 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-160

અધ્યાય-૧૭૨-સંવરણ અને તપતીની વાતચીત 

II गन्धर्व उवाच II अथ तस्यामद्रष्यायांनृपतिः काममोहितः I पातनः शत्रुसंधानां पपात धरणीतले II १ II

ગંધર્વ બોલ્યો-પછી,તે કન્યા જોવામાં આવી નહિ એટલે શત્રુઓના સમુહોને પણ પાડનારો એવો તે રાજા,

કામ મોહિત થઈને ધરતી પર ઢળી પડ્યો.ત્યારે તે સુમધુર સ્મિતવાળી કન્યાએ ફરીથી રાજાને દર્શન આપ્યું.

અને કહ્યું કે-'હે શત્રુદમન,ઉઠો,ઉભા થાઓ,તમે પૃથ્વીમાં પ્રસિદ્ધ છો,તમારે મોહ પામવો જોઈએ નહિ'

તપતીના મીઠાં વચનોથી રાજાએ આંખ ખોલી જોયું,ને સામે તે કન્યાને ઉભેલી જોઈ,તેને કહેવા લાગ્યો કે-

Apr 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-159

 
અધ્યાય-૧૭૧-તપતીનું ઉપાખ્યાન 

II अर्जुन उवाच II तापत्य इति यद्वाक्यमुक्तवानसिमामिह I सदहंज्ञातुमिच्छामि तापत्यर्थ विनिश्रितं II १ II

અર્જુન બોલ્યો-તમે,મને અહીં,તાપત્ય,એવું સંબોધન કર્યું,તો તે તાપત્ય શબ્દનો નિશ્ચિત અર્થ જાણવા ઈચ્છું છું.

તપતી કોણ હતી?કે જેને કારણે અમે તાપત્ય કહેવાયા?અમે તો કુન્તીપુત્રો છીએ.(1-2)