May 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-168

સ્વયંવર પર્વ 

અધ્યાય-૧૮૪-પાંડવો પાંચાલ દેશમાં 

II वैशंपायन उवाच II ततस्ते नरशार्दूला भ्रातरः पंच पाण्डवाः I प्रययुद्रौपदीं द्रष्टुं तं च देशं महोत्सवम्  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,નરોમાં સિંહ સમાન પાંચ પાંડવો,મહોત્સવવા પાંચાલ દેશને અને દ્રૌપદીને જોવાને ચાલ્યા.

માતા સાથે ચાલી રહેલા,તેઓએ માર્ગમાં અનેક બ્રાહ્મણોને એકઠા થઈને જતા જોયા.

તે બ્રાહ્મણોએ પાંડવોને પૂછ્યું કે-'તમે ક્યાં જાઓ છો?ક્યાંથી આવ્યા છો?' (1-3)

May 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-167

 
અધ્યાય-૧૮૨-વસિષ્ઠે નિયોગ કેમ કર્યો?

II अर्जुन उवाच II राज्ञा कल्माषपादेन गुरौ ब्रह्मविदांपरे I कारणं किं पुरस्कृत्य भार्या वै संनियोजिता II १ II

અર્જુન બોલ્યો-હે ગંધર્વ,કયા કારણથી,કલ્માષપાદ રાજાએ,પોતાની પત્ની સાથે,વસિષ્ઠનો નિયોગ કરાવ્યો?

પરમ ધર્મને જાણનારા વસિષ્ઠે આવું,પુત્રવધુ જેવી સ્ત્રી સાથે ગમન કેમ કર્યું? મારા આ સંશયનું નિવારણ કરો 

Apr 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-166

 
અધ્યાય-૧૮૦-ઔર્વના ક્રોધની શાંતિ-ને વડવામુખ અગ્નિની ઉત્પત્તિ 

II और्व उवाच II उक्तवानस्मि यां क्रोधात् प्रतिज्ञां पितरस्तदा I सर्वलोकविनाशाय न सा मे वितथा भवेत् II १ II

ઔર્વ બોલ્યા-હે પિતૃઓ,ક્રોધમાં આવીને,સર્વ લોકના વિનાશની મેં જે પ્રતિજ્ઞા કરી છે તે મિથ્યા નહિ થાય.

ક્રોધ અને પ્રતિજ્ઞામાં હું વ્યર્થ થવા ઈચ્છતો નથી,કેમ કે,જેમ,અગ્નિ અરણિને બાળી મૂકે,તેમ પર ન પડેલો રોષ 

મને જ બાળી નાખે.જે મનુષ્ય,કારણસર ઉપજેલા ક્રોધને શમાવવાનું યોગ્ય ધારે છે,તે ધર્મ,અર્થ અને કામ એ 

ત્રણનું સારી રીતે રક્ષણ કરવા સમર્થ થતો નથી.અસભ્ય મનુષ્યોને અંકુશમાં લાવવા ને સભ્ય મનુષ્યોનું સંરક્ષણ કરવા,ને સર્વને જીતવા ઇચ્છતા રાજાઓએ યોગ્ય સ્થાને રોષ (ક્રોધ) કરવો જ જોઈએ.(1-4)

Apr 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-165

અધ્યાય-૧૭૮-વસિષ્ઠે કહેલું ઔર્વનું ઉપાખ્યાન 

II गन्धर्व उवाच II आश्रमस्था ततः पुत्रंदश्यन्ति व्यजायत I शक्तेः कुलकरं राजन् द्वितीयमिवशक्तिनं II १ II

ગંધર્વ બોલ્યો-હે રાજન,પછી,આશ્રમમાં રહેલી,અદશ્યન્તીએ શક્તિના કુળને વધારનાર,બીજા શક્તિ જેવા

એક પુત્રને જન્મ આપ્યો.વસિષ્ઠે પોતે જ તે પૌત્રની જાતકર્માદિ ક્રિયાઓ કરી.તે ગર્ભમાં હતો ત્યારે,વસિષ્ઠ,

પરાસુ (પ્રાણમુક્ત) થવાના નિશ્ચય પર હતા,તેથી આ લોકમાં તે પરાશર (મરણ માટે નિશ્ચયીને (પરાસુને)

આશ્વાસન આપનાર) તરીકે ઓળખાયો.તે ધર્માત્મા વસિષ્ઠને જ પોતાના પિતા માનતા હતા 

ને જન્મથી જ તે તેમના તરફ પિતાની જેમ વર્તતા (1-4)

Apr 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-164

 
અધ્યાય-૧૭૭-વસિષ્ઠથી સૌદાસપુત્રની ઉત્પત્તિ 

II गन्धर्व उवाच II ततो द्रष्टाश्रमपदं रहितं तैSसुतैर्मुनिः I निर्जगां सुदुखार्तः पुनरप्याश्रमात्तत: II १ II

ગંધર્વ બોલ્યો-પછી,મુનિ (વસિષ્ઠ) પોતાના આશ્રમને,તે પુત્રો વિનાનો,સૂનો જોઈને,ફરી અત્યંત દુઃખી થયા અને આશ્રમની બહાર ચાલ્યા ગયા.તેમણે,વર્ષાકાળે,નવજળથી છલાછલ ભરેલી,અને અનેક વૃક્ષોને ખેંચી જતી એક 

નદી જોઈ,ને વિચારવા લાગ્યા કે-'આ દુઃખ સહેવા કરતાં,આ પાણીમાં જ પડું' ને પછી,તેમણે પોતાના શરીરને 

મજબૂત દોરડાથી બાંધી દઈને,તે મહાનદીમાં પડતું મૂક્યું.પણ,તે નદીએ તેમના સર્વ પાશ કાપી નાખ્યા 

ને તેમને,બંધનમુક્ત કરીને બહાર જમીન પર મૂકી દીધા.(1-5)