Jun 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-212-(2-સભાપર્વ)

 
૨-સભાપર્વ 

(નોંધ-આદિપર્વના અંતમાં શાડ઼:ર્ગક પક્ષીઓ જ્ઞાનના બળથી અગ્નિથી મુક્ત થયા,એ કહ્યું.હવે એ જ જ્ઞાન ભક્તિના બળ વડે જ પ્રાપ્ત થાય છે-એ સભાપર્વમાં કહેવામાં આવ્યું છે.ભક્તિમાં રુચિ પેદા થાય તે માટે,પાંડવોને ભક્તિના બળથી જ દિવ્ય સભા ને ઐશ્વર્યનો લાભ મળ્યો છે તે કહ્યું છે.વળી,દ્વેષ વડે કરેલ ભક્તિ પણ સાયુજ્ય મુક્તિ આપે છે,તે માટે શિશુપાલની કથા કહેલ છે.

દુર્યોધન જેવા અભક્તોના દોષો કહેલ છે,ને દ્યુતમાં દ્રૌપદીના રક્ષણ કરીને,શ્રીહરિનો ભક્ત પ્રત્યેનો અનોખો પ્રેમ જણાવ્યો છે.

સમર્થ એવા પાંડવો,દુર્યોધન પર કોપ કરતા નથી તે જણાવી ભક્તોની સહનશક્તિ વર્ણવી છે.સભાપર્વની શરૂઆતમાં,

'ઉપકાર કરનાર તરફ અવશ્ય પ્રત્યુપકાર કરવો' તે દર્શાવવા મયદાનવ પ્રત્યુપકાર કરી અદભુત સભા કરી આપે છે-તે કહ્યું છે-અનિલ)

સભાક્રિયા પર્વ

અધ્યાય-૧-સભાસ્થાનનો નિર્ણય 

मंगल श्लोक -नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ શ્રીનારાયણ,નરોત્તમ,નર અને દેવી સરસ્વતીને પ્રણામ કરી 'જય'નું કીર્તન આદરીએ.

Jun 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-211

અધ્યાય-૨૩૪-ઇન્દ્રે આપેલું વરદાન 

 II मन्दपाल उवाच II युष्माकमपवर्गार्थ विज्ञप्तो ज्वलनो मया I अग्निना च तथेत्येवं प्रतिज्ञातं महात्मना II १ II

મંદપાલ બોલ્યો-તમારા રક્ષણ માટે મેં અગ્નિને વિનંતી કરી હતી,અને તેણે તેમ કરવાનું વચન આપ્યું હતું.

અગ્નિનું એ વચન,તમારી માતાની ધર્મજ્ઞતા તેમ જ તમારું તેજ એ જાણીને હું અહીં પહેલાં આવ્યો નહતો.

તમે સંતાપ કરશો નહિ,અગ્નિ પણ તમને ઋષિઓ તરીકે જાણે છે,ને તમે વેદાંતપ્રસિદ્ધ બ્રહ્મને જાણો છો.

પછી,પુત્રો ને પત્નીને લઇ,તે મંદપાલ ઋષિ ત્યાંથી બીજા દેશમાં ચાલ્યા ગયા (1-4)

Jun 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-210

 
અધ્યાય-૨૩૩-શાડ઼:ર્ગકો અને મંદપાલનો સમાગમ 

II वैशंपायन उवाच II मंदपालोSपी कौरव्य चिन्तयामास पुत्रकान I उक्त्वापि च स तिम्माशुं नैव शर्माधिगच्छति II १ II

વૈશંપાયન બોલ્યા-હે કૌરવ્ય,મંદપાલ પણ પોતાના પુત્રોની ચિંતા કરતા હતા,તેમણે અગ્નિને કહેલું તો પણ તેમને શાંતિ રહેતી નહોતી.સંતાપ કરી રહેલા તે પોતાની બીજી પત્ની લપિતાને કહેવા લાગ્યા કે-'હે લપિતા,મારા અશક્ત પુત્રો ઘરમાં કેમ કરીને રહેશે? અગ્નિ વધતો હશે ને પવન ફૂંકાતો હશે ત્યારે મારા પુત્રો તેનાથી છુટકારો પામવાને અસમર્થ જ થશે,તેમની માતા પણ તેમનું કેવી રીતે રક્ષણ કરી શકશે? તે પણ શોકથી વિકળ થઈને,રોતી કકળતી દોડાદોડ કરતી હશે,મારા પુત્રો ને મારી પત્ની,કેવી સ્થિતિમાં હશે? (1-6)

Jun 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-209

 
અધ્યાય-૨૩૨-શાડ઼:ર્ગકોનો ઉગારો 

II जरितारिरुवाच II पुरतः क्रुछ्र्कालस्य धीमान जागर्ति पूरुषः I स क्रुछ्र्कालं संप्राप्यं व्यथां नैवैति कहिचित  II १ II

જરિતારિ બોલ્યો-જે બુદ્ધિમાન મનુષ્ય આપત્તિકાળ આવતાં પહેલાં જ જાગ્રત રહે છે,

તે આપત્તિકાળ આવતાં,કોઈ  રીતે વ્યથા પામતો નથી,પણ જે બુદ્ધિહીન મનુષ્ય આપત્તિકાળને 

ઓળખાતો નથી તે આપત્તિકાળમાં વ્યથા પામે છે.અને મહાન કલ્યાણને મેળવતો નથી.(1-2)

Jun 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-208

 
અધ્યાય-૨૩૧-શાડ઼:ર્ગકોનું ડહાપણ 

II जरितोवाच II अस्माद्विलान्निष्पत्तित्तमासु श्येनो जहार तम् I क्षुद्रं पद्भ्यां गृहीत्वा च यातो नात्र भयं हि वः  II १ II

જરિતા બોલી-'આ દરમાંથી બહાર નીકળેલા તે ક્ષુદ્ર ઉંદરને,બાજ પક્ષી 

અહીંથી પકડીને લઇ જતો મેં જોયો છે,એટલે તમને ત્યાં જવામાં કોઈ ભય નથી'

શાડ઼:ર્ગકો બોલ્યા-અહીં,અંદર બીજા પણ ઉંદરો હશે,એટલે તેનાથી પણ અમને ભય રહે છે.હે માતા,પવન બદલાયો હોવાથી અગ્નિ આ તરફ આવે એમાં સંશય છે પણ ઉંદરો અમને મારી નાખશે તેમાં સંશય નથી.

હે માતા,ન્યાયપૂર્વક તું આકાશમાં ઉડી જા,તું જીવીશ તો તને સુંદર પુત્રો સાંપડશે (4)