Jun 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-217


 તમે મિત્રો,ઉદાસીનો અને શત્રુઓ,શું કરવા ઈચ્છે છે તે જાણો છો ને? તમે યોગ્ય વખતે સંધિ ને વિગ્રહ કરો છો ને?

ઉદાસીન અને મધ્યમ રાજાઓ પ્રત્યે તમે યથાયોગ્ય વૃત્તિ રાખો છો ને? તમે તમારા જેવા,વૃદ્ધ,શુદ્ધ,કાર્ય-અકાર્ય માં શક્તિવાળા,કુલીન અને તમારામાં પ્રીતિવાળા-એવાઓને મંત્રીઓ કર્યા છે ને? કેમ કે મંત્રી જ રાજાના વિજયની ગુપ્ત ચાવી છે.મંત્રણાઓને સારી રીતે ગુપ્ત રાખનારા અને શાસ્ત્રમાં વિશારદ એવા અમાત્યોથી સુરક્ષિત રહેલા તમારા રાજ્યને શત્રુઓ રંજાડતા નથી ને? તમે નિંદ્રાને આધીન ન રહેતા પાછલી રાત્રે જાગ્રત થાઓ છો ને?

ને પાછલી રાતે તમે યોગ્ય-અયોગ્યનું ચિંતન કરો છો ને? (30)

Jun 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-216

લોકપાલ સભાખ્યાન પર્વ 

(નોંધ-અધ્યાય-5 થી 11-માં નારદજીએ રાજધર્મ અને વિવિધ સભાઓની વાત કરી છે,કે જે એક ઉપાખ્યાન સમાન જ છે-અનિલ)

અધ્યાય-૫-નારદે ઉપદેશેલો રાજધર્મ 

II वैशंपायन उवाच II अथ तत्रोपविष्टेपु पाण्डवेपु महात्मसु I महत्सु चोपविष्टेपु गन्धर्वेपु च भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,મહત્તમ પાંડવો અને ગંધર્વો એકવાર સભામાં બેઠા હતા,ત્યારે વેદો ને ઉપનિષદોને જાણનારા,દેવતાઓના સમુહોથી પૂજા પામેલા ને ઇતિહાસ-પુરાણમાં વિદ્વાન નારદ ત્યાં આવ્યા.

તે ઋષિ,પુરાકલ્પોને (અનેકોનું જેમાં ઉપાખ્યાન હોય તે વેદમાં પુરાકલ્પ કહેવાય છે) તથા 

વિશેષોને (જેમાં એક વ્યક્તિનું ઉપાખ્યાન હોય તેને વેદમાં વિશેષ કે પરિકૃત્ય કહે છે) જાણનારા હતા.(1-2)

Jun 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-215

અધ્યાય-૪-યુધિષ્ઠિરનો સભાપ્રવેશ 


II वैशंपायन उवाच II ततः प्रवेशनं तस्यां चक्रे राजा युधिष्ठिरः I अयुतं भोजयित्वा तु ब्राह्मणानां नराधिपः II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,નરપતિ યુધિષ્ઠિરે દશ હજાર બ્રાહ્મણોને ભોજન આપ્યું અને તે સભામાં પ્રવેશ કર્યો.

હે રાજન,વિવિધ દિશાઓથી આવેલા તે બ્રાહ્મણોને વિવિધ પ્રકારના ભોજન જમાડી,ફુલમાળાઓ આપી,ને વધુમાં પ્રત્યેકને હજાર હજાર ગાયો આપી.તે વખતે થયેલો પુણ્યાહવાચનનો ઘોષ આકાશ સુધી પહોંચ્યો.

Jun 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-214

અધ્યાય-૩-દિવ્યસભાનું નિર્માણ 

II वैशंपायन उवाच II अथाब्रवीन्मय: पार्थमर्जुनं जायतां वरम् I आप्रुच्छे त्यांगमिप्यामि पुनरेष्यामि चाप्यहम II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,મયે અર્જુનને કહ્યું કે-તમે રજા આપો તો હું હમણાં મૈનાક પર્વત પર જઈને તરત જ પાછો આવું,કેમ કે કૈલાશની ઉત્તરે આવેલા એ મૈનાક પર્વત પર પૂર્વે દાનવો યજ્ઞ કરતા હતા ત્યારે,મેં બિંદુ સરોવર આગળ એક વિચિત્ર અને રમ્ય,મણિમય પાત્ર બનાવ્યું હતું,ને પછી તે વૃષપર્વાની સભામાં મૂક્યું હતું,

તે લઈને હું પાછો આવીશ અને સર્વ રત્નોથી વિભૂષિત થયેલી એક વિચિત્ર સભા હું અહીં બનાવીશ.

Jun 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-213

અધ્યાય-૨-શ્રીકૃષ્ણનું દ્વારકાગમન 

II वैशंपायन उवाच II उपित्वा खाण्डवप्रस्थे सुखवासं जनार्दनः I पाथै: प्रीतिसमायुक्तै: पुजनार्होSभिपूजितः II १ II

વૈશંપાયન બોલ્યા-'હવે,પૂજનીય જનાર્દને,પ્રીતિયુક્ત પાંડવો સાથે વાસ કરીને તથા તેમનાથી સત્કાર પામતા રહીને,પિતાના દર્શનની ઈચ્છાથી દ્વારકા જવાનો નિર્ણય કર્યો.તેમણે ધર્મરાજ અને કુંતીની આજ્ઞા લીધી,ને ફોઈ કુંતીના ચરણમાં મસ્તક ઢાળી પ્રણામ કર્યા.પછી તે ભગિની સુભદ્રાને મળ્યા,ત્યારે સુભદ્રાએ,વારંવાર શિર નમાવી નમસ્કાર કર્યા ને સ્વજનોને ઉદ્દેશીને કુશળ સમાચાર કહેવડાવ્યા.ત્યારે બાદ,દ્રૌપદી અને ધૌમ્યને મળીને,

અર્જુન અને ભાઈઓ પાસે આવ્યા,ત્યારે પાંચે પાંડવો તેમને વીંટળાઈને તેમને ભેટી રહ્યા.