Jun 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-218

વિદ્યાવાન,વિનયવાન,અને જ્ઞાનકુશળ માણસોને તમે ગુણ પ્રમાણે યોગ્ય દાન સત્કાર કરો છો ને?

હે ભરતોત્તમ,તમારા માટે પ્રાણદાન કરનારા અને આપત્તિમાં આવી પડેલા માણસોની સ્ત્રીઓનું તમે ભરણપોષણ કરો છો ને? ભયવાળા,શક્તિહીન થયેલ,શરણે આવેલ અને યુદ્ધમાં હારેલા શત્રુને તમે પુત્રની જેમ પાળો છો ને?

શત્રુને સ્ત્રી,જુગાર આદિ દશ વ્યસનોમાં પડેલો જોઈને,તમારા મંત્ર,ભંડાર ને ઉત્સાહ- એ ત્રણ બળ પર વિચાર કરીને,જો તે દુર્બળ હોય તો તેના પર. તમે વેગપૂર્વક આક્રમણ કરો છો ને? હે પરંતપ,શત્રુ રાજ્યના મોટામોટા યોદ્ધાઓને તમે ગુપ્ત રીતે યોગ્યતા પ્રમાણે રત્નો વહેંચો છો ને? (62)

Jun 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-217


 તમે મિત્રો,ઉદાસીનો અને શત્રુઓ,શું કરવા ઈચ્છે છે તે જાણો છો ને? તમે યોગ્ય વખતે સંધિ ને વિગ્રહ કરો છો ને?

ઉદાસીન અને મધ્યમ રાજાઓ પ્રત્યે તમે યથાયોગ્ય વૃત્તિ રાખો છો ને? તમે તમારા જેવા,વૃદ્ધ,શુદ્ધ,કાર્ય-અકાર્ય માં શક્તિવાળા,કુલીન અને તમારામાં પ્રીતિવાળા-એવાઓને મંત્રીઓ કર્યા છે ને? કેમ કે મંત્રી જ રાજાના વિજયની ગુપ્ત ચાવી છે.મંત્રણાઓને સારી રીતે ગુપ્ત રાખનારા અને શાસ્ત્રમાં વિશારદ એવા અમાત્યોથી સુરક્ષિત રહેલા તમારા રાજ્યને શત્રુઓ રંજાડતા નથી ને? તમે નિંદ્રાને આધીન ન રહેતા પાછલી રાત્રે જાગ્રત થાઓ છો ને?

ને પાછલી રાતે તમે યોગ્ય-અયોગ્યનું ચિંતન કરો છો ને? (30)

Jun 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-216

લોકપાલ સભાખ્યાન પર્વ 

(નોંધ-અધ્યાય-5 થી 11-માં નારદજીએ રાજધર્મ અને વિવિધ સભાઓની વાત કરી છે,કે જે એક ઉપાખ્યાન સમાન જ છે-અનિલ)

અધ્યાય-૫-નારદે ઉપદેશેલો રાજધર્મ 

II वैशंपायन उवाच II अथ तत्रोपविष्टेपु पाण्डवेपु महात्मसु I महत्सु चोपविष्टेपु गन्धर्वेपु च भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,મહત્તમ પાંડવો અને ગંધર્વો એકવાર સભામાં બેઠા હતા,ત્યારે વેદો ને ઉપનિષદોને જાણનારા,દેવતાઓના સમુહોથી પૂજા પામેલા ને ઇતિહાસ-પુરાણમાં વિદ્વાન નારદ ત્યાં આવ્યા.

તે ઋષિ,પુરાકલ્પોને (અનેકોનું જેમાં ઉપાખ્યાન હોય તે વેદમાં પુરાકલ્પ કહેવાય છે) તથા 

વિશેષોને (જેમાં એક વ્યક્તિનું ઉપાખ્યાન હોય તેને વેદમાં વિશેષ કે પરિકૃત્ય કહે છે) જાણનારા હતા.(1-2)

Jun 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-215

અધ્યાય-૪-યુધિષ્ઠિરનો સભાપ્રવેશ 


II वैशंपायन उवाच II ततः प्रवेशनं तस्यां चक्रे राजा युधिष्ठिरः I अयुतं भोजयित्वा तु ब्राह्मणानां नराधिपः II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,નરપતિ યુધિષ્ઠિરે દશ હજાર બ્રાહ્મણોને ભોજન આપ્યું અને તે સભામાં પ્રવેશ કર્યો.

હે રાજન,વિવિધ દિશાઓથી આવેલા તે બ્રાહ્મણોને વિવિધ પ્રકારના ભોજન જમાડી,ફુલમાળાઓ આપી,ને વધુમાં પ્રત્યેકને હજાર હજાર ગાયો આપી.તે વખતે થયેલો પુણ્યાહવાચનનો ઘોષ આકાશ સુધી પહોંચ્યો.

Jun 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-214

અધ્યાય-૩-દિવ્યસભાનું નિર્માણ 

II वैशंपायन उवाच II अथाब्रवीन्मय: पार्थमर्जुनं जायतां वरम् I आप्रुच्छे त्यांगमिप्यामि पुनरेष्यामि चाप्यहम II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,મયે અર્જુનને કહ્યું કે-તમે રજા આપો તો હું હમણાં મૈનાક પર્વત પર જઈને તરત જ પાછો આવું,કેમ કે કૈલાશની ઉત્તરે આવેલા એ મૈનાક પર્વત પર પૂર્વે દાનવો યજ્ઞ કરતા હતા ત્યારે,મેં બિંદુ સરોવર આગળ એક વિચિત્ર અને રમ્ય,મણિમય પાત્ર બનાવ્યું હતું,ને પછી તે વૃષપર્વાની સભામાં મૂક્યું હતું,

તે લઈને હું પાછો આવીશ અને સર્વ રત્નોથી વિભૂષિત થયેલી એક વિચિત્ર સભા હું અહીં બનાવીશ.