II नारद उवाच II कथयिप्ये सभां याम्यां युधिष्ठिर निबोध ताम् I वैवस्वतस्य यां पार्थ विश्वकर्मा चकार ह II १ II
નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,હવે,હું તમને સૂર્ય(વિવસ્વાન) ના પુત્ર યમની સભા વિશે કહું છું તે તમે સાંભળો.
તેને વિશ્વકર્માએ બનાવી છે,ને લંબાઈ તથા પહોળાઇમાં સો યોજનથી પણ વધુ વિસ્તારવાળી છે.
સૂર્યના જેવા પ્રકાશવાળી,સર્વ બાજુ ઝળહળી રહેલી અને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરતી તે સભામાં,
વધુ પડતી ઠંડી નથી કે વધુ પડતી ગરમી નથી,મનને આનંદ આપે તેવી છે,તેમાં શોક-કે ઘડપણ નથી,
ભૂખ-તરસ નથી,દીનતા ને થાક નથી,ને તેમાં અપ્રિયતા ને પ્રતિકૂળતા નથી.(4)