Jul 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-227

 
રાજસૂયારંભ પર્વ 

અધ્યાય-૧૩-શ્રીકૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થમાં આગમન 

II वैशंपायन उवाच II ऋशैस्तद्वचनं श्रुत्वा निशश्वास युधिष्ठिरः I चिन्तयन् राजसुयैष्टिं न लेभे शर्म भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,નારદ ઋષિનું તે વચન સાંભળીને,યુધિષ્ઠિરે નિશ્વાસ મુક્યો અને રાજસૂય યજ્ઞના વિચારમાં તેમને મનમાં શાંતિ વળી નહિ,ને છેવટે તેમણે રાજસૂય યજ્ઞ કરવાનો મનમાં નિર્ધાર કર્યો.

તે વારંવાર ધર્મનું જ ચિંતન કરીને 'શાથી સર્વલોકનું મંગલ થાય?' એનો વિચાર કરતા રહ્યા.ને પ્રજા પર અનુગ્રહ કરીને તેમનું વિશેષ હિત કરવા લાગ્યા,કોપ-મદને છોડીને તે સર્વને આજ્ઞા આપતા હતા કે 'દેવા યોગ્ય હોય તે સર્વને દાન આપો' તેમના આવા  વર્તનથી લોકો કહેવા લાગ્યા કે-'ધર્મ ને ધર્મરાજા શ્રેષ્ઠ છે' (8)

Jul 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-226

 
અધ્યાય-૧૨-નારદે પાંડુરાજાનો સંદેશો કહ્યો

II युधिष्ठिर उवाच II प्रायशो राजलोकस्ते कथितो वदतां वर I विवस्वनसभायां तु यथा वदसि मे प्रभो II १ II

યુધિષ્ઠિર બોલ્યા-જે વક્તાઓમાં શ્રેષ્ઠ,છો તે ,પ્રમાણે,યમરાજની સભામાં ઘણું કરીને રાજાઓ વિરાજે છે,

વરુણની સભામાં નાગો,દૈત્યેન્દ્રો,સતિતઓ ને સાગરો ગણાવ્યાં છે,કુબેરજીની સભામાં તમે,યક્ષો,ગુહ્યકો,

રાક્ષસો,ગંધર્વો,અપ્સરાઓ ને ભગવાન શંકરની ગણના કરી છે,બ્રહ્માની સભામાં તમે મહર્ષિઓ,દેવગણો અને 

સર્વ શાસ્ત્રો કહ્યાં,ને ઇન્દ્રની સભામાં દેવો,ગંધર્વો  ને મહર્ષિઓને કહ્યા.(5)

Jun 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-225

અધ્યાય-૧૧-બ્રહ્માજીની સભાનું વર્ણન 

II नारद उवाच II पितामहसभां तात कथ्यमानिबोदः मे I शक्यते या न निर्देष्टुमेवरुपेति भारत II १ II

નારદ બોલ્યા-હે તાત,હું પિતામહ બ્રહ્માની સભા,'અમુક રૂપની છે' એવો નિર્દેશ થઇ શકે તેમ નથી.

પૂર્વે સત્યયુગમાં,આદિત્ય ભગવાન,સ્વર્ગમાંથી મનુષ્યલોકને જોવાની ઈચ્છાથી અહીં આવ્યા હતા.

તેઓ માનવરૂપે વિચરતા હતા,ત્યારે તેમણે મને,તે દિવ્ય,મનમાં જેના સ્વરૂપનો વિચાર ન આવે એવી,

પ્રભાવમાં અવર્ણનીય અને પ્રાણીના મનનું રંજન કરે તેવી તે અપ્રમેય સભા વિશે મને તત્ત્વપૂર્વક કહ્યું હતું.(4)

Jun 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-224

 
અધ્યાય-૧૦-કુબેરની સભાનું વર્ણન 

II नारद उवाच II सभा वैश्र्वणि राजन शतयोजनमायता I विस्तीर्णा सप्ततिश्चैव योज्नातिसितप्रभा II १ II

નારદ બોલ્યા-હે મહારાજ,કુબેરની ઉજ્જવળ કાંતિવાળી સભા,લંબાઈ-પહોળાઈમાં સો યોજન છે અને 

વિસ્તારમાં સિત્તેર યોજન ફેલાયેલી છે.કુબેરે પોતાના તપથી તેને પ્રાપ્ત કરી છે.કૈલાશ પર્વતના શિખર જેવી 

એ સભા ચંદ્રની કાંતિને પણ ઝાંખી પાડે છે.ગુહ્યકોથી,એક સ્થળેથી બીજે સ્થળે લઇ જવાતી તે સભા જાણે આકાશમાં જડાઈ હોય એમ શોભે છે.તે સભા,દિવ્ય સુવર્ણમય ભવનોથી સુશોભિત છે.દિવ્ય ગંધોથી ભરેલી તે મોટાં રત્નોથી જડિત છે.સફેદ વાદળાંના શિખર જેવી તે જાણે તરતી હોય તેમ દેખાય છે (4)

Jun 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-223

અધ્યાય-૯-વરુણની સભાનું વર્ણન 

II नारद उवाच II युधिष्ठिर सभा दिव्या वरुणस्यमित्रप्रभा I प्रमाणेन यथा याभ्या शुभप्राकारतोरणा II १ II

 નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,વરુણની સભા દિવ્ય,અમાપ તેજસ્વી,યમરાજની સભાના જેવી પ્રમાણવાળી,અને 

સુંદર કોટો અને દ્વારોવાળી છે.વિશ્વકર્માએ તેને જળની ભીતર ઘડી છે,દિવ્ય,રત્નમય,ફળો તથા પુષ્પો આપનારા વૃક્ષોથી,તેમ જ અનેક રંગની મંજરીઓની જાળો ને ગુચ્છાઓથી તે શોભી રહી છે.તેમાં અવર્ણ્ય દેહવાળાં 

અને મધુર ટહુકાઓ કરનારાં સેંકડો પક્ષીઓ છે.વરુણે રક્ષેલી તે સભા સુખદ સ્પર્શવાળી છે.

તેમાં ભવનો અને આસનો છે અને તે શ્વેત તથા રમણીય છે.(5)