II श्रीकृष्ण उवाच II सर्वैर्गुणैर्महारज राजसूयं त्वमर्हसि I जानतस्त्वैव ते सर्गः किंचिद्वक्ष्यामि भारत II १ II
શ્રીકૃષ્ણ બોલ્યા-હે મહારાજ,તમે સર્વ ગુણોથી રાજસૂય યજ્ઞ કરવા યોગ્ય છો,(આ બાબતે) તમે સર્વ જાણો છો,છતાં (આ વિષય પર) તમને હું કંઈક કહીશ.જમદગ્નિપુત્ર પરશુરામે ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો,તેમાં જે ક્ષત્રિયો બચી ગયા હતા,તેઓ,પૂર્વના ક્ષત્રિયો કરતાં ઉતરતા છે.હાલ આ સંસારમાં નામમાત્રના ક્ષત્રિયો રહી ગયા છે.
તે ક્ષત્રિયોએ,એકઠા મળીને પોતાના કુળ માટે એવો સંકલ્પ કર્યો છે કે-આપણામાં જે કોઈ એક પુરુષ સર્વનો પરાજય કરે તેને ચક્રવર્તી રાજા જાણવો.આ વાત તો તમે જાણતા જ હશો (3)




