Jul 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-228

 
અધ્યાય-૧૪-શ્રીકૃષ્ણનાં વચન 

II श्रीकृष्ण उवाच II सर्वैर्गुणैर्महारज राजसूयं त्वमर्हसि I जानतस्त्वैव ते सर्गः किंचिद्वक्ष्यामि भारत II १ II

શ્રીકૃષ્ણ બોલ્યા-હે મહારાજ,તમે સર્વ ગુણોથી રાજસૂય યજ્ઞ કરવા યોગ્ય છો,(આ બાબતે) તમે સર્વ જાણો છો,છતાં (આ વિષય પર) તમને હું કંઈક કહીશ.જમદગ્નિપુત્ર પરશુરામે ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો,તેમાં જે ક્ષત્રિયો બચી ગયા હતા,તેઓ,પૂર્વના ક્ષત્રિયો કરતાં ઉતરતા છે.હાલ આ સંસારમાં નામમાત્રના ક્ષત્રિયો રહી ગયા છે.

તે ક્ષત્રિયોએ,એકઠા મળીને પોતાના કુળ માટે એવો સંકલ્પ કર્યો છે કે-આપણામાં જે કોઈ એક પુરુષ સર્વનો પરાજય કરે તેને ચક્રવર્તી રાજા જાણવો.આ વાત તો તમે જાણતા જ હશો (3)

Jul 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-227

 
રાજસૂયારંભ પર્વ 

અધ્યાય-૧૩-શ્રીકૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થમાં આગમન 

II वैशंपायन उवाच II ऋशैस्तद्वचनं श्रुत्वा निशश्वास युधिष्ठिरः I चिन्तयन् राजसुयैष्टिं न लेभे शर्म भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,નારદ ઋષિનું તે વચન સાંભળીને,યુધિષ્ઠિરે નિશ્વાસ મુક્યો અને રાજસૂય યજ્ઞના વિચારમાં તેમને મનમાં શાંતિ વળી નહિ,ને છેવટે તેમણે રાજસૂય યજ્ઞ કરવાનો મનમાં નિર્ધાર કર્યો.

તે વારંવાર ધર્મનું જ ચિંતન કરીને 'શાથી સર્વલોકનું મંગલ થાય?' એનો વિચાર કરતા રહ્યા.ને પ્રજા પર અનુગ્રહ કરીને તેમનું વિશેષ હિત કરવા લાગ્યા,કોપ-મદને છોડીને તે સર્વને આજ્ઞા આપતા હતા કે 'દેવા યોગ્ય હોય તે સર્વને દાન આપો' તેમના આવા  વર્તનથી લોકો કહેવા લાગ્યા કે-'ધર્મ ને ધર્મરાજા શ્રેષ્ઠ છે' (8)

Jul 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-226

 
અધ્યાય-૧૨-નારદે પાંડુરાજાનો સંદેશો કહ્યો

II युधिष्ठिर उवाच II प्रायशो राजलोकस्ते कथितो वदतां वर I विवस्वनसभायां तु यथा वदसि मे प्रभो II १ II

યુધિષ્ઠિર બોલ્યા-જે વક્તાઓમાં શ્રેષ્ઠ,છો તે ,પ્રમાણે,યમરાજની સભામાં ઘણું કરીને રાજાઓ વિરાજે છે,

વરુણની સભામાં નાગો,દૈત્યેન્દ્રો,સતિતઓ ને સાગરો ગણાવ્યાં છે,કુબેરજીની સભામાં તમે,યક્ષો,ગુહ્યકો,

રાક્ષસો,ગંધર્વો,અપ્સરાઓ ને ભગવાન શંકરની ગણના કરી છે,બ્રહ્માની સભામાં તમે મહર્ષિઓ,દેવગણો અને 

સર્વ શાસ્ત્રો કહ્યાં,ને ઇન્દ્રની સભામાં દેવો,ગંધર્વો  ને મહર્ષિઓને કહ્યા.(5)

Jun 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-225

અધ્યાય-૧૧-બ્રહ્માજીની સભાનું વર્ણન 

II नारद उवाच II पितामहसभां तात कथ्यमानिबोदः मे I शक्यते या न निर्देष्टुमेवरुपेति भारत II १ II

નારદ બોલ્યા-હે તાત,હું પિતામહ બ્રહ્માની સભા,'અમુક રૂપની છે' એવો નિર્દેશ થઇ શકે તેમ નથી.

પૂર્વે સત્યયુગમાં,આદિત્ય ભગવાન,સ્વર્ગમાંથી મનુષ્યલોકને જોવાની ઈચ્છાથી અહીં આવ્યા હતા.

તેઓ માનવરૂપે વિચરતા હતા,ત્યારે તેમણે મને,તે દિવ્ય,મનમાં જેના સ્વરૂપનો વિચાર ન આવે એવી,

પ્રભાવમાં અવર્ણનીય અને પ્રાણીના મનનું રંજન કરે તેવી તે અપ્રમેય સભા વિશે મને તત્ત્વપૂર્વક કહ્યું હતું.(4)

Jun 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-224

 
અધ્યાય-૧૦-કુબેરની સભાનું વર્ણન 

II नारद उवाच II सभा वैश्र्वणि राजन शतयोजनमायता I विस्तीर्णा सप्ततिश्चैव योज्नातिसितप्रभा II १ II

નારદ બોલ્યા-હે મહારાજ,કુબેરની ઉજ્જવળ કાંતિવાળી સભા,લંબાઈ-પહોળાઈમાં સો યોજન છે અને 

વિસ્તારમાં સિત્તેર યોજન ફેલાયેલી છે.કુબેરે પોતાના તપથી તેને પ્રાપ્ત કરી છે.કૈલાશ પર્વતના શિખર જેવી 

એ સભા ચંદ્રની કાંતિને પણ ઝાંખી પાડે છે.ગુહ્યકોથી,એક સ્થળેથી બીજે સ્થળે લઇ જવાતી તે સભા જાણે આકાશમાં જડાઈ હોય એમ શોભે છે.તે સભા,દિવ્ય સુવર્ણમય ભવનોથી સુશોભિત છે.દિવ્ય ગંધોથી ભરેલી તે મોટાં રત્નોથી જડિત છે.સફેદ વાદળાંના શિખર જેવી તે જાણે તરતી હોય તેમ દેખાય છે (4)