Jul 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-233

 
અધ્યાય-૧૯-જરાસંઘની પ્રશંસા 

II श्रीकृष्ण उवाच II कस्यचिस्पथ कालस्य पुनरेव महातपाः I मगधेपुपचकाम भगवांश्चडकौशिक II १ II

શ્રીકૃષ્ણ બોલ્યા-પછી,કેટલોક સમય વીત્યા બાદ,મહાતપસ્વી ચંડકૌશિક મગધદેશમાં ફરીથી આવી ચડ્યા.

તેમના આગમનથી રાજા બૃદરાથ હર્ષ પામ્યો અને મંત્રીઓ,પુત્ર ને પત્નીઓને લઈને તેમને સામે લેવા ગયો.

પાદ્ય,અર્ધ્ય ને આચમનથી તે ઋષિનું સ્વાગત-પૂજન કરીને,તેમને રાજ્યસહિત પોતાનો પુત્ર સોંપ્યો.

રાજાનો પૂજા-સત્કાર સ્વીકારીને ઋષિએ રાજાને કહ્યું કે-હે રાજન,મેં દિવ્ય ચક્ષુથી જાણ્યું છે કે-

તારો આ પુત્ર ઐશ્વર્યવાન થશે,એમાં સંશય નથી.એ પરાક્રમ કરીને સઘળું પ્રાપ્ત કરશે.

Jul 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-232

અધ્યાય-૧૮-જરા રાક્ષસીનું આત્મકથન 

II राक्षस्युवाच II जरानास्मि भद्रं ते राक्षसी कामरूपिणी I तव वेश्मनि राजद्र पूजिता न्यवसं सुखम् II १ II

રાક્ષસી બોલી-હે રાજેન્દ્ર,તમારું મંગલ થાઓ,ઇચ્છારૂપ ધારણ કરનારી હું જરા નામે રાક્ષસી છું ને તમારા ભવનમાં સુખપૂર્વક અને પૂજાસહિત રહું છું.હું મનુષ્યોને ઘેરઘેર ગૃહદેવીને નામે રાહુ છું,પૂર્વે મને બ્રહ્માએ ઉત્પન્ન કરી છે.

મને દિવ્યરૂપવતીને દાનવોના વિનાશ માટે સ્થાપવામાં આવી છે.પુત્રવતી ને યૌવનભરી એવી મારી પ્રતિમાને જે ભક્તિપૂર્વક દીવાલ પર આલેખે છે તેના ઘરમાં મંગલવૃદ્ધિ થાય છે.અને તેમ કરે નહિ તો તેનો વિનાશ થાય છે.

Jul 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-231

અધ્યાય-૧૭-જરાસંઘની ઉત્પત્તિ કથા 

II वासुदेव उवाच II जातस्य भरते वंशे तथा कृन्त्याः सुतस्य च I या वै युक्त्वा मतिः सेयमर्जुनेन प्रदर्शिता II १ II

વાસુદેવ બોલ્યા-ભરતવંશમાં ને કુંતીના કુખે જન્મેલા અર્જુને જે આ વિચાર બતાવ્યો તે યોગ્ય છે.આપણે રાતે કે દિવસે ક્યાંય મૃત્યુને જોતા નથી,તેમ આપણે સાંભળ્યું પણ નથી કે યુદ્ધ ન કરીને કોઈ અમર થયો હોય.

તેથી પુરુષે હૃદયના સંતોષ માટે પણ આમ કરવું જ જોઈએ.ને વિધિપૂર્વક શાસ્ત્રનીતિ પ્રમાણે શત્રુ પર ચડાઈ કરવી જોઈએ,સુનીતિ અને અનુકૂળતા-એ બંનેનો સંયોગ થતા કાર્યની પરમસિદ્ધિ થાય છે.ને વિજય મળે છે,પણ,

નીતિ વિનાના અને યોગ્ય ઉપાયો વિનાના યુદ્ધમાં ભારે ક્ષય થાય છે,વળી,જો  બંને પક્ષ,જો સમાન રીતે ન્યાયથી યુદ્ધ કરે,તો બંનેના વિજય બાબતમાં સંશય રહે છે,ને કોઈનો વિજય થતો નથી.(5)

Jul 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-230

અધ્યાય-૧૬-જરાસંઘના વધ વિશે મંત્રણા 

II युधिष्ठिर उवाच II सम्राटSगुणमभिप्स्न्यै युष्मान् स्वार्थपरायणः I कथं प्रहिणुयां कृष्ण सोहं केवलसाहसात II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે શ્રીકૃષ્ણ,ચક્રવર્તીના ગુણો સંપાદન કરવાની ઈચ્છાથી સ્વાર્થપરાયણ થઈને,હું કેવી રીતે તમને જરાસંઘનો નાશ કરવા મોકલું? તમને તો હું મારુ મન માનું છું,ને ભીમ ને અર્જુન તો મારે મન બે નેત્ર જેવા છે,

એટલે જો મન અને નેત્રો નાશ પામે તો હું કેવી રીતે જીવતર જીવું? એ ભયંકર પરાક્રમવાળા ને સહેજે પાર ન પામી શકાય તેવા જરાસંઘના સૈન્યનો ભેટો પામી યમરાજ પણ યુદ્ધમાં વિજય મેળવી શકે તેમ નથી,આવા અનિષ્ટ ફળવાળા કાર્યમાં હાથ નાંખનારનો અનર્થ થાય છે,એટલે આ કાર્ય ન કરવું મને વધારે યોગ્ય લાગે છે.(6)

Jul 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-229

અધ્યાય-૧૫-યુધિષ્ઠિરનાં વચન 

II युधिष्ठिर उवाच II उक्तं त्वया बुध्धिमता यन्नान्योवक्तुमर्हति I संशयानां हि निर्मोक्ता त्वन्नानयो विद्यते भ्रुवि II १ II

યુધિષ્ઠિર બોલ્યા-તમે બુધ્ધિમાને જે કહ્યું તે બીજો કોઈ કહી શકશે નહિ,પૃથ્વી પર સંશયનું નિવારણ કરનાર 

તમારા જેવો બીજો કોઈ નથી.હે મહાભાગ,અમે પણ જરાસંઘના ભયથી ને તેની દુષ્ટતાથી શંકાશીલ છીએ,

હે સમર્થ,હું તો તમારા ભુજબળના આશ્રયે છું,અને તમે જ જરાસંઘથી શંકાવાળા હો,તો પછી હું પોતાને બળવાન કેમ માનું? એ જરાસંઘ,તમારાથી,બલરામથી,ભીમસેનથી અને અર્જુનથી મરાય તેમ નથી,એમ મેં જ્યારથી સાંભળ્યું છે,ત્યારથી હું ફરીફરી વિચાર કરું છું.અમારા તમે જ સર્વ કાર્યોમાં તમે જ પ્રમાણરૂપ છો.(10)