II श्रीकृष्ण उवाच II कस्यचिस्पथ कालस्य पुनरेव महातपाः I मगधेपुपचकाम भगवांश्चडकौशिक II १ II
શ્રીકૃષ્ણ બોલ્યા-પછી,કેટલોક સમય વીત્યા બાદ,મહાતપસ્વી ચંડકૌશિક મગધદેશમાં ફરીથી આવી ચડ્યા.
તેમના આગમનથી રાજા બૃદરાથ હર્ષ પામ્યો અને મંત્રીઓ,પુત્ર ને પત્નીઓને લઈને તેમને સામે લેવા ગયો.
પાદ્ય,અર્ધ્ય ને આચમનથી તે ઋષિનું સ્વાગત-પૂજન કરીને,તેમને રાજ્યસહિત પોતાનો પુત્ર સોંપ્યો.
રાજાનો પૂજા-સત્કાર સ્વીકારીને ઋષિએ રાજાને કહ્યું કે-હે રાજન,મેં દિવ્ય ચક્ષુથી જાણ્યું છે કે-
તારો આ પુત્ર ઐશ્વર્યવાન થશે,એમાં સંશય નથી.એ પરાક્રમ કરીને સઘળું પ્રાપ્ત કરશે.




