Jul 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-237

 
અધ્યાય-ભીમ સાથે યુદ્ધમાં જરાસંઘને થાક 

II वैशंपायन उवाच II ततस्तं निश्चितात्मानं युद्धाय यदुनन्दनः I उवाच वाग्मी राजानं जरासंघमधोंक्षज  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,યુદ્ધને માટે નિશ્ચિત મનવાળા થયેલા જરાસંઘ રાજાને,વાણીમાં કુશળ શ્રીકૃષ્ણે કહ્યું કે-

'હે રાજન,ત્રણમાંથી કયા એકની સાથે તારું મન ઉત્સાહ ધરે છે? અમારામાંથી કોણ તારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાય?' ત્યારે જરાસંઘે,ભીમસેનની સાથે ગદાયુદ્ધ માગી લીધું.એટલે તે વખતે,ગોરોચન,માળાઓ,મંગલ પદાર્થો,

મુખ્ય ઔષધિઓ ને ભાન લાવનારાં સાધનો લઈને પુરોહિત ત્યાં જરાસંઘ પાસે આવ્યો.તે બ્રાહ્મણે રાજાને

સ્વસ્તિવાચન કર્યું,એટલે ક્ષાત્રધર્મને સંભારતો જરાસંઘ યુદ્ધ માટે તૈયાર થયો.(5)

Jul 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-236

 
અધ્યાય-૨૨-જરાસંઘની યુદ્ધ માટેની તૈયારી 

II जरासंघ उवाच II न स्मरामि कदा वैरं कृतं युष्माभिरिव्युत I चिंतयश्च न पश्यामि भवतां प्रति विकृतं II १ II

જરાસંઘ બોલ્યો-મને સાંભરતું નથી કે મેં તમારી સાથે વેર કર્યું હોય,કે તમારું ભૂંડું કર્યું હોય.તો મને વિના અપરાધીને શા માટે તમે શત્રુ માનો છો? તે મને કહો.કેમ કે સત્પુરુષોનો આ નિયમ છે.

ધર્માર્થ પર આઘાત થવાથી મન ઉકળી ઉઠે છે કેમ કે જે ક્ષત્રિય ધર્મજ્ઞ ને મહારથી હોવા છતાં,નિર્દોષને બટ્ટો લગાવે છે,તે નિઃસંશય આ લીકમાં વિપરીત આચરણ કરીને પાપીઓની ગતિને પામે છે.ત્રણે લોકમાં સદાચારીઓ માટે ક્ષત્રિય ધર્મ કલ્યાણકારી છે,ધર્મને જાણનારા મનુષ્યો તો બીજા ધર્મની પ્રશંસા કરતા નથી,હું પોતે સ્વધર્મમાં નિયમ પરાયણ છું,પ્રજા પ્રત્યે હું નિર્દોષ છું,છતાં તમે મારી આગળ આજે જાણે પ્રમાદમાં બડબડાટ કરો છો.(6)

Jul 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-235

અધ્યાય-૨૧-શ્રીકૃષ્ણ અને જરાસંઘનો સંવાદ 

II वासुदेव उवाच II एष पार्थ महान् भाति पशुमान्नित्यIमंब्रुमान I निरामयः स्वेश्माल्यो निवेशो मागधः शुभः II १ II

વાસુદેવ બોલ્યા-હે પૃથાનંદન,પશુઓથી ભરેલા,નિત્ય પાણીથી પૂર્ણ,ઉપદ્રવ વિનાના અને સુભવનથી સમૃદ્ધ,

આ શુભ અને મહાન મગધદેશનો સીમાડો શોભે છે.એકમેકના અંગરૂપે જોડાયેલા શૈલ,વરાહ,વૃષભાચલ,

ઋષિગિરિ અને ઐત્યક-એ મહાશિખરવાળા વારવાતો,જાણે કે સાથે રહીને ગિરિવ્રજનું રક્ષણ કરી રહ્યા છે.

અહીં,ગૌતમમુનિએ,ઔશીનરી નામની ક્ષુદ્રામાં કાક્ષીવાન આદિ પુત્રોને ઉત્પન્ન કર્યા હતા.શુદ્ર સ્ત્રીને પેટે જન્મેલા હોવા છતાં,તે કાક્ષીવાન-આદિના વંશજો,ગૌતમના ઐશ્વર્ય વડે મગધદેશના રાજાઓ ગણાય છે.(6)

Jul 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-234

જરાસંઘ પર્વ

અધ્યાય-૨૦-જરાસંઘના વધ માટે શ્રીકૃષ્ણ-આદિનું મગધમાં જવું 

II वासुदेव उवाच II पतितौ हंसडिंमकौ कंसश्च सगणो हतः I जरासंघस्य निधने कालोSयं समुपागत II १ II

વાસુદેવ બોલ્યા-હવે,હંસ અને ડિમ્બક માર્યા ગયા છે ને કંસ પણ તેના અનુચરો સાથે હણાયો છે,એટલે જરાસંઘના વધનો સમય આવી ગયો છે.સર્વ સૂરો ને અસુરો પણ એને રણમાં જીતી શકે તેમ ન હોવાથી એને દેહબલ વડે દ્વંદ્વ યુદ્ધથી જીતવો જોઈએ એવું મને લાગે છે.મારામાં નીતિ છે,ભીમમાં બળ છે અને અર્જુન અમારા બે નું રક્ષણ કરનાર છે,એટલે જેમ,ત્રણ અગ્નિઓ યજ્ઞને સિદ્ધ કરે છે તેમ,અમે ત્રણ એ મગધરાજને પૂરો કરીશું.(4)

Jul 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-233

 
અધ્યાય-૧૯-જરાસંઘની પ્રશંસા 

II श्रीकृष्ण उवाच II कस्यचिस्पथ कालस्य पुनरेव महातपाः I मगधेपुपचकाम भगवांश्चडकौशिक II १ II

શ્રીકૃષ્ણ બોલ્યા-પછી,કેટલોક સમય વીત્યા બાદ,મહાતપસ્વી ચંડકૌશિક મગધદેશમાં ફરીથી આવી ચડ્યા.

તેમના આગમનથી રાજા બૃદરાથ હર્ષ પામ્યો અને મંત્રીઓ,પુત્ર ને પત્નીઓને લઈને તેમને સામે લેવા ગયો.

પાદ્ય,અર્ધ્ય ને આચમનથી તે ઋષિનું સ્વાગત-પૂજન કરીને,તેમને રાજ્યસહિત પોતાનો પુત્ર સોંપ્યો.

રાજાનો પૂજા-સત્કાર સ્વીકારીને ઋષિએ રાજાને કહ્યું કે-હે રાજન,મેં દિવ્ય ચક્ષુથી જાણ્યું છે કે-

તારો આ પુત્ર ઐશ્વર્યવાન થશે,એમાં સંશય નથી.એ પરાક્રમ કરીને સઘળું પ્રાપ્ત કરશે.