II वैशंपायन उवाच II ततस्तं निश्चितात्मानं युद्धाय यदुनन्दनः I उवाच वाग्मी राजानं जरासंघमधोंक्षज II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,યુદ્ધને માટે નિશ્ચિત મનવાળા થયેલા જરાસંઘ રાજાને,વાણીમાં કુશળ શ્રીકૃષ્ણે કહ્યું કે-
'હે રાજન,ત્રણમાંથી કયા એકની સાથે તારું મન ઉત્સાહ ધરે છે? અમારામાંથી કોણ તારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાય?' ત્યારે જરાસંઘે,ભીમસેનની સાથે ગદાયુદ્ધ માગી લીધું.એટલે તે વખતે,ગોરોચન,માળાઓ,મંગલ પદાર્થો,
મુખ્ય ઔષધિઓ ને ભાન લાવનારાં સાધનો લઈને પુરોહિત ત્યાં જરાસંઘ પાસે આવ્યો.તે બ્રાહ્મણે રાજાને
સ્વસ્તિવાચન કર્યું,એટલે ક્ષાત્રધર્મને સંભારતો જરાસંઘ યુદ્ધ માટે તૈયાર થયો.(5)