અધ્યાય-૨૪-જરાસંઘનો વધ
II वैशंपायन उवाच II भीमसेनस्तत: कृष्णमुवाच यदुनंदनम I बुध्धिमास्थाय विपुलां जरासंघश्चवधेप्सया II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ભીમસેને પોતાની વિશાલ બુદ્ધિનો સહારો લઈને,જરાસંઘના વધની ઈચ્છાથી,
શ્રીકૃષ્ણને કહ્યું કે-'આ જરાસંઘે,લંગોટથી પોતાની કમર ખૂબ જ કસી લીધી છે,આ પાપીના પ્રાણ મારા વશમાં આવે તેમ મને લાગતું નથી'ત્યારે શ્રીકૃષ્ણે ભીમસેનને ઉત્તેજિત કરતાં કહ્યું કે-'હે ભીમ તારું જે સર્વોત્કૃષ્ટ દૈવી સ્વરૂપ છે,તે અને વાયુદેવતાએ તને જે બળ આપ્યું છે,તેનો હવે આજે જરાસંઘ પર ઉપયોગ કરી બતાવ.




