Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jul 17, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-242
અધ્યાય-31-સહદેવનો દિગ્વિજય
II वैशंपायन उवाच II तथैव सह्देवोSपि धर्मराजेन पूजितः I महत्या सेनय राजन् प्रपयौ दक्षिणां दिशम् II १ II
વૈશંપાયન બોલ્યા-એ જ પ્રમાણે,ધર્મરાજથી સત્કાર પામેલો સહદેવ,મહાન સેનાએ સાથે દક્ષિણ દિશામાં વિજય માટે ગયો.તેણે,પ્રથમ શૂરસેનોને અને પછી મત્સ્યરાજને જીત્યા.ને પછી દંતવક્રને જીતી તેના પર ખંડણી બેસાડી તેને રાજ્ય પર પુનઃ સ્થાપિત કર્યો.ત્યારબાદ તેણે,સુકુમાર ને સુમિત્ર નરેશને,શ્રોણિમાન રાજાને,કુંતીભોજને,
જંભકપુત્રને,સેકો ને અપરસિકોને,વિન્દ ને અનુવવિન્દને,ભીષ્મકને,કોશલદેશના ને પૂર્વકોશલદેશના રાજાઓને,
નાટ્કેયો ને હેરમ્બકોને,મારૂધને,રમ્યગ્રામને,નચીન ને અર્બુદનાં રાજાઓને,વાતાધિપ રાજાને,પુલિંદોને,અને
અરણ્યમાં વસતા સર્વ રાજાઓને જીતીને તેમની પાસેથી કર લીધા.
Jul 16, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-241
અધ્યાય-૨૯-ભીમસેનનો દિગ્વિજય
II वैशंपायन उवाच II एतस्मिन्नेव काले भीमसेनोSपिविर्यवान धर्मराजमनुज्ञाप्य ययौ प्राचीं दिशं प्रति II १ II
વૈશંપાયન બોલ્યા-એ વખતે,શત્રુઓના શોકને વધારનારો,ભરતવંશીઓમાં સિંહ સમાન,પ્રતાપી ને વીર્યવાન,ભીમસેન પણ,ધર્મરાજની આજ્ઞા લઈને,શત્રુ રાજ્યોનું મર્દન કરવા,હાથી,ઘોડા તથા રથોથી ભરેલા અને બખ્તરોથી સજેલા મહાન સેનાચક્ર સાથે પૂર્વ દિશા તરફ વિજય માટે નીકળ્યો હતો.પ્રથમ પાંચાલોને મળી,
તેને ગંડકો,વિદેહો ને દશાર્ણકો પર જય મેળવ્યો.દશાર્ણક ના રાજા સુધર્માએ ભીમસેન સાથે,હથિયાર વિનાનું રોમાંચ
ખડાં કરે તેવું અદભુત યુદ્ધ કર્યું,તેનું તે કર્મ જોઈને તે સુધર્માને,ભીમે,પોતાનો સેનાપતિ બનાવ્યો.
Jul 15, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-240
II वैशंपायन उवाच II एवमुक्त: प्रन्युवाच भगदत्तं धनंजयः I अनेनैव कृतं सर्वं मपिष्यत्यनुजानता II १ II
વૈશંપાયન બોલ્યા-ભગદત્તે જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે અર્જુને કહ્યું-'તમે કર આપવાની વાતને જે સંમતિ આપી છે એટલે તમે બધું જ કર્યું ગણાશે' આમ,ભગદત્તને જીતીને ત્યાંથી અર્જુન,કુબેરે જીતેલી ઉત્તરદિશા તરફ ચાલ્યો.
ત્યાં,અંતરગિરી,બહિરગિરી,ને ઉપગિરી આદિ સર્વ પર્વતોને જીતીને ત્યાંના સર્વ રાજાઓને વશ કર્યા,ને તે
સર્વ પાસેથી ધનસંગ્રહ લીધો.પછી,તે રાજાઓને પ્રસન્ન કરીને તેમને સાથે લઈને,તેણે ઉલૂકદેશના બૃહન્ત રાજા પર ચડાઈ કરી,બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું,પણ અંતે બૃહન્ત,કુન્તીપુત્રને અસાધ્ય માનીને,સર્વ પ્રકારનાં રત્નો લઈને,
અર્જુનને શરણે આવ્યો.કર લઈને,અર્જુને તેને તેના રાજ્યમાં સ્થિર કર્યો.(10)
Jul 14, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-239
દિગ્વિજય પર્વ
અધ્યાય-૨૫-દિગ્વિજયનું સંક્ષિપ્ત વર્ણન
II वैशंपायन उवाच II प्रार्थः प्राप्य धनुः श्रेष्ठमक्षय्यो च महेपुधि I रथं ध्वजं समां चैव युधिष्ठिरम मापत II १ II
વૈશંપાયન બોલ્યા-ઉત્તમ ધનુષ્ય,બે અક્ષય ભાથા,રથ,ધજા ને સભા પ્રાપ્ત કરીને અર્જુને યુધિષ્ઠિરને કહ્યું કે-
'હે રાજન,ધનુષ્ય,અસ્ત્રો,બાણો,શક્તિ,પક્ષ,ભૂમિ,યશ અને બળ-એ બધી મારી મનગમતી વસ્તુઓ દુર્લભ હોવા છતાં મને મળી છે,આથી હવે મને લાગે છે કે-ભંડારમાં ભરતી લાવવી જોઈએ.હે રાજન,હું સર્વ રાજાઓ પાસેથી કર ઉઘરાવીશ.ને હવે શુભ તિથિ,મુહૂર્ત ને નક્ષત્ર હું કુબેરે રક્ષેલી ઉત્તર દિશા તરફ વિજયપ્રસ્થાન કરવાનું વિચારું છું.



