Jul 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-251

અધ્યાય-૪૨-ભીમસેનનો ક્રોધ 

II शिशुपाल उवाच II स मे बहुमतो राजा जरासंघो महाबलः I योSनेन युद्धनेयेष दासोSयमिति संयुगे II १ II

શિશુપાલ બોલ્યો-તે મહાબળવાન રાજા જરાસંઘને હું માં આપું છું કેમ કે તેણે 'આ કૃષ્ણ તો દાસ છે'

એમ ગણીને તેની સાથે રણમાં યુદ્ધ કરવાની ઈચ્છા કરી નહોતી.કૃષ્ણે,ભીમે ને અર્જુને તેના વાદ્યનું જે કાર્ય કર્યું છે 

તે કાર્ય યોગ્ય હતું એમ કોણ માની શકે તેમ છે? તે જરાસંઘના પ્રભાવથી ડરીને તેઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને છીંડેથી તેના રાજ્યમાં પેઠા હતા.આ દુરાત્મા કૃષ્ણને જયારે જરાસંઘે પાદ્યપૂજન આપવા માંડ્યું.ત્યારે પોતાને બ્રાહ્મણ તરીકે ન જાણનારા તેણે તે સ્વીકારવાની ઈચ્છા કરી નહિ ને ભોજન કરવાની પણ ના પાડી હતી.

Jul 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-250


અધ્યાય-41-શિશુપાલનાં વચન 

II शिशुपाल उवाच II विधिपिकर्गभबदर्यामिपयन्मर्वपार्थिवान I न व्यपत्रपसे कम्मादवृद्धःमन् कुलपांमन II १ II

શિશુપાલ બોલ્યો-હે ભીષ્મ,તું વૃદ્ધ છે ને કુળને કલંક લગાવી રહ્યો છે.તું અનેક ડરામણીઓ બતાવીને,રાજાઓને બીવડાવતાં શરમાતો કેમ નથી?નપુંસકના સ્વભાવમાં રહેનારા તને જ આમ ધર્મરહિત અર્થવાળાં વચન બોલવાં શોભે એવાં છે,કેમ કે તું કુરુઓમાં વૃદ્ધ છે.હે ભીષ્મ,જેમ એક નાવ બીજી નાવને બંધાઈને ચાલતી હોય છે અને જેમ એક આંધળો બીજા આંધળાને અનુસરતો હોય છે,તેમ,તું જેનો અગ્રણી છે,તે કુરુઓ પણ તારી પાછળ પગલાં મૂકે છે.આ કૃષ્ણનાં ભૂતકાળનાં અનેક વિવિધ કર્મોનું કીર્તન કરીને તેં અમારા મનને અત્યંત વ્યથા આપી છે (4)

Jul 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-249

 
શિશુપાલવધ પર્વ 

અધ્યાય-૪૦-યુધિષ્ઠિરને ભીષ્મનું આશ્વાસન 

II वैशंपायन उवाच II ततः सागरसंकाशं दष्टा नृपतिमण्डलम् I संवर्तवातामिहितं भीमं क्षुब्धभिवार्णंवम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પ્રલયકાળના પવનના આઘાતથી જેમ સાગર ભયંકર રીતે ખળભળી ઉઠે,તેમ,સાગર જેવો સર્વ રાજાઓનો સમાજ રોષથી ઉછળી ઉઠ્યો.આ જોઈને યુધિષ્ઠિરે,બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને વૃદ્ધ એવા ભીષ્મને 

કહ્યું કે-હે પિતામહ,રાજાઓનો આ મહાસાગર રોષથી ઉકળી ઉઠ્યો છે,તો આ સંબંધમાં જે કરવા યોગ્ય હોય તે મને કહો.યજ્ઞમાં વિઘ્ન આવે નહિ ને પ્રજાનું સર્વ રીતે મંગલ થાય -તે મને યોગ્ય રીતે કહો.(4)

Jul 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-248

 
અધ્યાય-૩૯-અર્ધાભિહરણની સમાપ્તિ 

II वैशंपायन उवाच II एवमुक्त्वा ततो भीष्मो विरराम महाबलः I व्याजहारोतरं तत्र सह्देवोSर्थवद्वचः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ કહીને,ભીષ્મ બોલતા બંધ થયા ત્યારે સહદેવે અર્થયુક્ત વચનો બોલતાં કહ્યું કે-

'કેશીદૈત્યને હણનારા કેશવને,અમાપ પરાક્રમવાળા શ્રીકૃષ્ણને મેં અર્ઘપૂજા આપી છે,જે રાજાઓ બુદ્ધિમાનો છે,

તેઓ આચાર્ય,પિતા,ગુરુ ને પૂજનીય એવા આ શ્રીકૃષ્ણની જે પૂજા થઇ છે,તેને સંમતિ આપશે અને જે 

રાજાઓનો વિરોધ છે તેઓ ઉત્તર આપે,ને તેઓ મારે હાથે મરશે જ,એમાં સંશય નથી' 

આમ સહદેવે તે બળવાન ને માની રાજાઓની વચ્ચે પોતાની લાત બતાવી,ત્યારે કોઈ રાજાઓએ 

 સામો ઉત્તર આપ્યો નહિ.તેથી તે વખતે સહદેવના માથા પર પુષ્પવૃષ્ટિ થઇ.(6)

Jul 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-247

અધ્યાય-૩૮-ભીષ્મે કરેલાં શ્રીકૃષ્ણનાં યશોગાન 

II वैशंपायन उवाच II ततो युधिष्ठिरो राज शिशुपालमुपाद्रवत I उचाच चैनं मधुरं सान्त्वपुर्वमिदं वचः II १ II

વૈશંપાયન બોલ્યા-શિશુપાલને જતો જોઈ,યુધિષ્ઠિર તેની પાછળ દોડ્યા ને સાંત્વનાપૂર્વક કહેવા લાગ્યા કે-

'હે મહીપાલ,આ તમે જે બોલ્યા છો તે તમને યોગ્ય નથી,આથી તો મહા અધર્મ થયો છે.ને નકામી કર્કશતા પ્રગટ થઇ છે.ભીષ્મ,ધર્મને જાણતા નથી એમ નથી,માટે અવળું સમજીને એમનો અનાદર કરો નહિ,જુઓ,અહીં,

તમારાથી એ વિશેષ વૃદ્ધ એવા અનેક રાજાઓ છે,જે કૃષ્ણને આપવામાં આવેલી પૂજાને સહન કરે છે,

તો તેમની જેમ તમારે પણ આ બાબતમાં ખામોશી રાખવી જોઈએ.

ભીષ્મ,શ્રીકૃષ્ણને,જે રીતે તત્ત્વપૂર્વક જાણે  છે તેવી રીતે તમે એમને જાણતા નથી (5)