અધ્યાય-૪૨-ભીમસેનનો ક્રોધ
II शिशुपाल उवाच II स मे बहुमतो राजा जरासंघो महाबलः I योSनेन युद्धनेयेष दासोSयमिति संयुगे II १ II
શિશુપાલ બોલ્યો-તે મહાબળવાન રાજા જરાસંઘને હું માં આપું છું કેમ કે તેણે 'આ કૃષ્ણ તો દાસ છે'
એમ ગણીને તેની સાથે રણમાં યુદ્ધ કરવાની ઈચ્છા કરી નહોતી.કૃષ્ણે,ભીમે ને અર્જુને તેના વાદ્યનું જે કાર્ય કર્યું છે
તે કાર્ય યોગ્ય હતું એમ કોણ માની શકે તેમ છે? તે જરાસંઘના પ્રભાવથી ડરીને તેઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને છીંડેથી તેના રાજ્યમાં પેઠા હતા.આ દુરાત્મા કૃષ્ણને જયારે જરાસંઘે પાદ્યપૂજન આપવા માંડ્યું.ત્યારે પોતાને બ્રાહ્મણ તરીકે ન જાણનારા તેણે તે સ્વીકારવાની ઈચ્છા કરી નહિ ને ભોજન કરવાની પણ ના પાડી હતી.