II वैशंपायन उवाच II अनुभृय तु राज्ञस्तं राजसूयं महक्रतुम् I युधिष्ठिरस्य नृपतेगांधारीपुत्रर्भुयतः II १ II
વૈશંપાયન બોલ્યા-ગાંધારીપુત્ર દુર્યોધનની મનોદશા અને તેનો મત જાણી,તે શકુનિ,રાજા ધૃતરાષ્ટ્ર પાસે ગયો
અને તેમને કહેવા લાગ્યો કે-'હે મહારાજ,દુર્યોધન ફિક્કો પાંદડી ગયો છે,પીળો થઇ ગયો છે ને સુકાઈ ગયો છે.
હે રાજન,તે રાંક થઇ ગયો છે ને ચિંતાથી ઘેરાઈ ગયો છે,તમે તેની સંભાળ લો.શત્રુના કારણે તમારા પાટવીકુંવરના હૃદયમાં જે શોક ઉપજ્યો છે તેની તમે કેમ સારી રીતે તપાસ કરી જાણી લેતા નથી? (5)


