Aug 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-258

 
અધ્યાય-૪૯-દુર્યોધને ધૃતરાષ્ટ્રને કહેલી વાત 

II वैशंपायन उवाच II अनुभृय तु राज्ञस्तं राजसूयं महक्रतुम् I युधिष्ठिरस्य नृपतेगांधारीपुत्रर्भुयतः II १ II 

વૈશંપાયન બોલ્યા-ગાંધારીપુત્ર દુર્યોધનની મનોદશા અને તેનો મત જાણી,તે શકુનિ,રાજા ધૃતરાષ્ટ્ર પાસે ગયો 

અને તેમને કહેવા લાગ્યો કે-'હે મહારાજ,દુર્યોધન ફિક્કો પાંદડી ગયો છે,પીળો થઇ ગયો છે ને સુકાઈ ગયો છે.

હે રાજન,તે રાંક થઇ ગયો છે ને ચિંતાથી ઘેરાઈ ગયો છે,તમે તેની સંભાળ લો.શત્રુના કારણે તમારા પાટવીકુંવરના હૃદયમાં જે શોક ઉપજ્યો છે તેની તમે કેમ સારી રીતે તપાસ કરી જાણી લેતા નથી? (5)

Aug 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-257

 
અધ્યાય-૪૮-શકુનિએ દુર્યોધનને આપેલું આશ્વાસન 

II शकुनि उवाच II दुर्योधन न तेSमर्पः कार्यः प्रति युधिष्ठिरम् I भागवेयानि हि म्लानि पांडवा भुंजतेसदा II १ II

શકુનિ બોલ્યો-હે દુર્યોધન,તારે યુધિષ્ઠિર બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી,કેમ કે પાંડવો સદૈવ પોતાના ભાગ્યને જ ભોગવે છે.પૂર્વે,તેં,એમના નાશ માટે અનેક ક્રિયાઓ કરી હતી,પણ તું એમનો નાશ કરી શક્યો નથી.

વળી,તેઓ દ્રૌપદીને પત્ની તરીકે પામ્યા છે,ને સાથે તેઓ પૃથ્વીજય મેળવવામાં સહાયભૂત થાય એવા દ્રુપદને,

તેના પુત્રોને ને વાસુદેવને તેમણે મેળવ્યા છે.કાર્યમાં નિરાશ ન થયેલા તે પાંડવોએ પોતાના પિતાના રાજ્યમાંથી  

ભાગ મેળવ્યો છે ને પોતાના પ્રતાપથી તેને વધાર્યો છે,તો તેનો શોક શો? (5)

Aug 1, 2023

Dongreji Ramyan Katha-Index Page-ડોંગરેજી રામાયણ કથા-અનુક્રમણિકા

 Click on the number to go to that video

01--02--03--04--05--6--7--8--9--10--11--12--13--14--15--16--END


Ramcharit manas-only chopai-full book-રામચરિત માનસ-માત્ર ચોપાઈ-ફુલ બુક

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-256

 
અધ્યાય-૪૭-દુર્યોધનનો સંતાપ 

II वैशंपायन उवाच II वसन् दुर्योधनस्तस्यां सभायां पुरुषर्पम I शनैर्ददर्षतां सर्वा सभां शकुनिना सह II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,દુર્યોધન,તે વખતે મામા શકુનિ સાથે આખી સભાને ધીરે ધીરે જોઈ વળ્યો હતો.

પોતે પૂર્વે કદી નહિ જોયેલી,દિવ્ય સજાવટો તેણે તે સભામાં જોઈ.એક વાર જ્યાં સ્થળ હતું ત્યાં જળનો ભ્રમ થતાં,

તેણે પોતાના વસ્ત્રો ઊંચકી લીધાં,ને પોતે ભોંઠો પડી ગયો,ને બીજી વખતે જ્યાં જળ હતું ત્યાં સ્થળનો ભ્રમ થતાં,

તે પાણીમાં પડી ગયો.તેને પાણીમાં પડતો જોઈને ભીમસેન અને ભાઈઓ હસી પડ્યા,ને તેને નવાં વસ્ત્રો આપ્યાં.

પણ,તેમને હસતા જોઈને ચિડાઈ ગયેલો દુર્યોધન તેમને હસતા સાંખી શક્યો નહિ.(9)