અધ્યાય-૫૩-યજ્ઞના ઐશ્વર્યનું વર્ણન
II दुर्योधन उवाच II आर्यास्तु ये वै राजानः सन्यसंघ महाव्रताः I पर्याप्तविद्यावक्तारो वेदांतावभृथप्लनाः II १ II
દુર્યોધન બોલ્યો-સત્યવચની,મહાવ્રતી,પૂર્ણ વિદ્યાવાન,વક્તા,વેદાંતવેત્તા,અવભૃથ સ્નાન પામેલા,ધૃતિમાન,
લજ્જાશીલ,ધર્માત્મા અને યશસ્વી એવા જે મુગટધારી આર્ય રાજાઓ યજ્ઞમાં આવ્યા હતા તે યુધિષ્ઠિરની સેવા
કરી રહ્યા હતા.ત્યાં યુધિષ્ઠિરના અભિષેક માટે રાજાઓ વ્યગ્રતારહિત રહીને પોતે જ જળપાત્રોને ઊંચકી લાવતા હતા.બાહલીકરાજ સોનાથી શણગારેલો રથ લાવ્યા હતા.સુદક્ષિણ રાજાએ તે રથને કામ્બોજ દેશના સફેદ ઘોડાઓ જોડ્યા હતા.સુનિધે તે રથને નીચે લાકડાનો ટેકો મુક્યો હતો,ચેદિરાજે રથ પર ધજા ચડાવી હતી.




