અધ્યાય-૫૪-દુર્યોધનને ધૃતરાષ્ટ્રનો ઉપદેશ
II धृतराष्ट्र उवाच II त्वं वै ज्येष्ठो ज्यैष्ठिनेयः पुत्र मा पांडवान् द्विपः I द्वेष्टा ह्यसुखमादत्ते यथैव निवनं तथा II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-બેટા,તું સર્વથી મોટી પટરાણીનો પુત્ર છે,તું પાંડવોનો દ્વેષ કર નહિ.કેમ કે દ્વેષ કરનારો જ મરણના જેવું દુઃખ ભોગવે છે.તે કપટને ન જાણનારા,તારા સમાન ધનવાળા ને મિત્રોવાળા,ને કોઈનો પણ દ્વેષ ન કરનારા
યુધિષ્ઠિરનો તારા જેવાએ શા માટે દ્વેષ કરવો જોઈએ? કુટુંબીપણા ને પરાક્રમમાં તું યુધિષ્ઠિરની સમાન છે.તો
તું મુરખાઇથી ભાઈની લક્ષ્મીની શા માટે ઈચ્છા કરે છે? તું એમ ન કર,શાંત પડ ને શોક કર નહિ (3)




