II दुर्योधन उवाच II यस्य नास्ति निजा प्रज्ञा केवलं तु बहुश्रुतः I न स जानाति शास्त्रार्थं दवीं सूपरमानिव II १ II
દુર્યોધન બોલ્યો-જેને પોતાની બુદ્ધિ જ નથી ને જેણે માત્ર ખુબ ભણી જ જાણ્યું છે,તે મનુષ્યને શાસ્ત્રના રહસ્યની સમજ
હોતી નથી.એતો જેમ કડછી,ખીરનો સવડ જાણી ન શકે-તેના જેવું જ છે.હે પિતા,તમે સમજો છો,છતાં
મને,એક નાવે બાંધેલી બીજી નાવની જેમ વમળમાં નાખી રહયા છો.તમને શું સ્વાર્થની પડી જ નથી? કે તમે મારો દ્વેષ
કરી રહયા છો? આ ધૃતરાષ્ટ્ર પુત્રો હવે નાશ જ પામ્યા છે કેમ કે દ્યુતકાર્યથી,શત્રુની લક્ષ્મી હરી લેવાનું જે
આપણું પ્રયોજન છે તેને તમે ભવિષ્ય પર નાખો છો.ને તેને બદલે તમે યજ્ઞની વાત કરવા બેઠા છો.(3)