Aug 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-264

 
અધ્યાય-૫૫-દુર્યોધનનો પ્રલાપ 

II दुर्योधन उवाच II यस्य नास्ति निजा प्रज्ञा केवलं तु बहुश्रुतः I न स जानाति शास्त्रार्थं दवीं सूपरमानिव II १ II

દુર્યોધન બોલ્યો-જેને પોતાની બુદ્ધિ જ નથી ને જેણે માત્ર ખુબ ભણી જ જાણ્યું છે,તે મનુષ્યને શાસ્ત્રના રહસ્યની સમજ

હોતી નથી.એતો જેમ કડછી,ખીરનો સવડ જાણી ન શકે-તેના જેવું જ છે.હે પિતા,તમે સમજો છો,છતાં 

મને,એક નાવે બાંધેલી બીજી નાવની જેમ વમળમાં નાખી રહયા છો.તમને શું સ્વાર્થની પડી જ નથી? કે તમે મારો દ્વેષ

કરી રહયા છો? આ ધૃતરાષ્ટ્ર પુત્રો હવે નાશ જ પામ્યા છે કેમ કે દ્યુતકાર્યથી,શત્રુની લક્ષ્મી હરી લેવાનું જે 

આપણું પ્રયોજન છે તેને તમે ભવિષ્ય પર નાખો છો.ને તેને બદલે તમે યજ્ઞની વાત કરવા બેઠા છો.(3)

Aug 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-263

અધ્યાય-૫૪-દુર્યોધનને ધૃતરાષ્ટ્રનો ઉપદેશ 

II धृतराष्ट्र उवाच II त्वं वै ज्येष्ठो ज्यैष्ठिनेयः पुत्र मा पांडवान् द्विपः I द्वेष्टा ह्यसुखमादत्ते यथैव निवनं तथा II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-બેટા,તું સર્વથી મોટી પટરાણીનો પુત્ર છે,તું પાંડવોનો દ્વેષ કર નહિ.કેમ કે દ્વેષ કરનારો જ મરણના જેવું દુઃખ ભોગવે છે.તે કપટને ન જાણનારા,તારા સમાન ધનવાળા ને મિત્રોવાળા,ને કોઈનો પણ દ્વેષ ન કરનારા 

યુધિષ્ઠિરનો તારા જેવાએ શા માટે દ્વેષ કરવો જોઈએ? કુટુંબીપણા ને પરાક્રમમાં તું યુધિષ્ઠિરની સમાન છે.તો 

તું મુરખાઇથી ભાઈની લક્ષ્મીની શા માટે ઈચ્છા કરે છે? તું એમ ન કર,શાંત પડ ને શોક કર નહિ (3)

Aug 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-262

અધ્યાય-૫૩-યજ્ઞના ઐશ્વર્યનું વર્ણન 

II दुर्योधन उवाच II आर्यास्तु ये वै राजानः सन्यसंघ महाव्रताः I पर्याप्तविद्यावक्तारो वेदांतावभृथप्लनाः II १ II

દુર્યોધન બોલ્યો-સત્યવચની,મહાવ્રતી,પૂર્ણ વિદ્યાવાન,વક્તા,વેદાંતવેત્તા,અવભૃથ સ્નાન પામેલા,ધૃતિમાન,

લજ્જાશીલ,ધર્માત્મા અને યશસ્વી એવા જે મુગટધારી આર્ય રાજાઓ યજ્ઞમાં આવ્યા હતા તે યુધિષ્ઠિરની સેવા 

કરી રહ્યા હતા.ત્યાં યુધિષ્ઠિરના અભિષેક માટે રાજાઓ વ્યગ્રતારહિત રહીને પોતે જ જળપાત્રોને ઊંચકી લાવતા હતા.બાહલીકરાજ સોનાથી શણગારેલો રથ લાવ્યા હતા.સુદક્ષિણ રાજાએ તે રથને કામ્બોજ દેશના સફેદ ઘોડાઓ જોડ્યા હતા.સુનિધે તે રથને નીચે લાકડાનો ટેકો મુક્યો હતો,ચેદિરાજે રથ પર ધજા ચડાવી હતી.

Aug 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-261

અધ્યાય-૫૨-યજ્ઞમાં આવેલી વિવિધ ભેટોનું વિશેષ વર્ણન 

II दुर्योधन उवाच II दावं तु विविधं तस्मै शृणु मे गदनोSनघ I यज्ञार्थं राजभिर्दत्तं महान्तं धनसंचयम् II १ II 

દુર્યોધન બોલ્યો-હે રાજન,રાજાઓએ યજ્ઞનિમિત્તે,યુધિષ્ઠિરને જે મહાન ધનસંચય આપ્યો હતો ને તેમને જે ભેટો આપી હતી,તે હું તમને કહું છું તમે સાંભળો.મેરુ અને મંદર પર્વતોની વચ્ચે રહેતી ખસ,પારદ,કુલિંદ આદિ જાતિના રાજાઓ,પિપીલક નામના સોનાના ઢગને વાસણોમાં ભરીને લાવ્યા હતા,પહાડી રાજાઓ ચામરો,હિમાલયના પુષ્પોમાંથી થયેલું અતિ સ્વાદિષ્ટ મધ,ઔષધિઓ,માળાઓ લઈને આવ્યા હતા,ને દ્વારે શિર નમાવી ઉભા હતા.

Aug 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-260

 
અધ્યાય-૫૧-દુર્યોધને કરેલું યજ્ઞની ભેટોનું વર્ણન 

II दुर्योधन उवाच II यन्मया पांडवेयनां दृष्टं तच्छृणु भारत I आह्वतं भूमिपालैहि वसुमुख्यं ततस्ततः II १ II 

દુર્યોધન બોલ્યો-હે ભારત,દેશદેશના રાજાઓ,પાંડુનંદનો માટે જે ધન લાવતા હતા તે જોઈને હું મૂઢ થઇ ગયો હતો,

મને યાદ પણ નથી કે કયા દેશથી,કોણ,કેટલું ધન લાવ્યા હતા ! તો પણ જે મુખ્ય હતું તે તમે સાંભળો.

કાંબોજરાજે સોનાથી મઢેલી અનેક શાલો,શ્રેષ્ઠ મૃગચર્મો,ત્રણસો ઘોડાઓ ને ત્રણસો ઊંટો ભેટ ધર્યા હતાં.

ગાયબળદથી આજીવિકા ચાલાવનાર ગોવાસન બ્રાહ્મણો,ત્રણ ખર્વ જેટલા ધનની ભેટ લાવ્યા હતા,

તેમને દરવાજે રોકવામાં આવ્યા હતા,તેથી તેઓ ત્યાં જ ઉભા રહ્યા હતા.ને ગાયો પાળનારા સેંકડો બ્રાહ્મણોના 

ટોળાઓ,સુવર્ણના સ્વચ્છ કમંડલુંઓ ઘીથી ભરીને આવ્યા હતા,ને તેઓ પણ અંદર પ્રવેશ કરી શક્યા નહોતા.