અધ્યાય-૫૯-યુધિષ્ઠિર અને શકુનિનો સંવાદ
II वैशंपायन उवाच II प्रविश्य तां सभां पार्था युधिष्ठिरपुरोगमाः I समेत्व पार्थिवान सर्वान् पुजार्हानभि पूज्य च II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,યુધિષ્ઠિરને આગળ રાખીને પાંડવોએ તે સભામાં પ્રવેશ કર્યો,ને સર્વ પુજાયોગ્ય રાજાઓને મળી,તેમનું પૂજન કર્યું,ને વય પ્રમાણે તેમને નમસ્કાર આદિ કરીને,તેઓ મૂલ્યવાન પાથરણાં વાળા વિચિત્ર આસનો પર બેઠા.ત્યારે સુબલપુત્ર શકુનિ,યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-'હે રાજન,તમારા પર સર્વ મીટ માંડી બેઠા છે,
હવે તમે પાસા નાખીને જુગતાની શરત થવા દો (4)


