Aug 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-268

 
અધ્યાય-૬૦-દ્યુતક્રીડાનો આરંભ 

II वैशंपायन उवाच II उपोह्यमाने ध्युते तु राजान: सर्व एव ते I धृतराष्ट्र पुरस्कृत्य विविशुस्तां सभां ततः II १ II 

વૈશંપાયન બોલ્યા-આમ,જયારે જુગારનો પ્રરામઃ થયો ત્યારે સર્વ રાજાઓ ધૃતરાષ્ટ્રની આસપાસ થવા આગળ આવ્યા.ભીષ્મ,દ્રોણ,કૃપ અને વિદુર પણ અસંતુષ્ટ ચિત્તથી તેમની પાછળ પાછળ આવ્યા ને આદાન ગ્રહણ કર્યા.

બધાએ આસાન ગ્રહણ કર્યા પછી જુગારનો પ્રારંભ થયો (5)

Aug 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-267

અધ્યાય-૫૯-યુધિષ્ઠિર અને શકુનિનો સંવાદ 

II वैशंपायन उवाच II प्रविश्य तां सभां पार्था युधिष्ठिरपुरोगमाः I समेत्व पार्थिवान सर्वान् पुजार्हानभि पूज्य च II १ II 

વૈશંપાયન બોલ્યા-પછી,યુધિષ્ઠિરને આગળ રાખીને પાંડવોએ તે સભામાં પ્રવેશ કર્યો,ને સર્વ પુજાયોગ્ય રાજાઓને મળી,તેમનું પૂજન કર્યું,ને વય પ્રમાણે તેમને નમસ્કાર આદિ કરીને,તેઓ મૂલ્યવાન પાથરણાં વાળા વિચિત્ર આસનો પર બેઠા.ત્યારે સુબલપુત્ર શકુનિ,યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-'હે રાજન,તમારા પર સર્વ મીટ માંડી બેઠા છે,

હવે તમે પાસા નાખીને જુગતાની શરત થવા દો (4)

Aug 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-266

 
અધ્યાય-૫૮-યુધિષ્ઠિરનું દ્યુત માટે આવવું 

II वैशंपायन उवाच II

ततः प्रायाद्विदुरोSश्चैरुदारैर्महाजवैर्बलिभिः साधुदान्तैः I बलान्नियुक्तो धृतराष्ट्रेण राज्ञामनिपिणां पांडवानां सकाशे II १ II 

વૈશંપાયન બોલ્યા-આમ,બળજબરીથી ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી,વિદુરજી,ઊંચી જાતના,મહાવેગવાળા ઘોડાઓ

જોડેલા રથમાં બેસીને પાંડવો પાસે ગયા.નગરમાં સર્વેનો સત્કાર પામીને તેઓ યુધિષ્ઠિર પાસે ગયા.

યુધિષ્ઠિરે તેમને યથાવિધિ માનપૂજા આપીને ધૃતરાષ્ટ્ર-આદિ સર્વના કુશળ પૂછ્યા (4)

Aug 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-265

અધ્યાય-૫૬-દ્યુત રમવાની ધૃતરાષ્ટ્રે આપેલી સંમતિ

II शकुनिरुवाच II यां त्वमेवां श्रियं द्रष्ट्वा पांदुपुत्रे युधिष्ठिरे I तप्यसे तां हरिष्यामि ध्यूतेन जयतांवर II १ II

શકુનિ બોલ્યો-હે દુર્યોધન,પાંડુપુત્ર યુધિષ્ઠિરની લક્ષ્મી જોઈને તું સંતાપ કરી રહ્યો છે,પણ તેને હું દ્યુત વડે,તારા માટે 

હરી લઈશ.સંશય પામ્યા વિના,તેને અહીં બોલાવો.દ્યુતવિદ્યાને જાણનારો હું,તે દ્યુતવિદ્યાને ન જાણનારા પાંડવોને હું પાસા નાખીને જીતી લઈશ.પાસા મારાં બાણ છે,ને દાવ મારુ ધનુષ્ય છે,પાસાના દાણા મારી પણછ છે,ને પાસા ઢાળવાનું સ્થાન મારો રથ છે,કે જેથી સેના કે યુદ્ધ વિના હું તેમને જીતી લઈશ.એમ તું જાણ.(3)

Aug 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-264

 
અધ્યાય-૫૫-દુર્યોધનનો પ્રલાપ 

II दुर्योधन उवाच II यस्य नास्ति निजा प्रज्ञा केवलं तु बहुश्रुतः I न स जानाति शास्त्रार्थं दवीं सूपरमानिव II १ II

દુર્યોધન બોલ્યો-જેને પોતાની બુદ્ધિ જ નથી ને જેણે માત્ર ખુબ ભણી જ જાણ્યું છે,તે મનુષ્યને શાસ્ત્રના રહસ્યની સમજ

હોતી નથી.એતો જેમ કડછી,ખીરનો સવડ જાણી ન શકે-તેના જેવું જ છે.હે પિતા,તમે સમજો છો,છતાં 

મને,એક નાવે બાંધેલી બીજી નાવની જેમ વમળમાં નાખી રહયા છો.તમને શું સ્વાર્થની પડી જ નથી? કે તમે મારો દ્વેષ

કરી રહયા છો? આ ધૃતરાષ્ટ્ર પુત્રો હવે નાશ જ પામ્યા છે કેમ કે દ્યુતકાર્યથી,શત્રુની લક્ષ્મી હરી લેવાનું જે 

આપણું પ્રયોજન છે તેને તમે ભવિષ્ય પર નાખો છો.ને તેને બદલે તમે યજ્ઞની વાત કરવા બેઠા છો.(3)