II शकुनिरुवाच II बहु वित्तं पराजैपिः पांडवानां युधिष्ठिर I आचक्ष्व वित्तं कौन्तेय यदि तेSस्तस्यपराजितम् II १ II
શકુનિ બોલ્યો-હે યુધિષ્ઠિર,તમે પાંડવોનું ઘણું ધન હારી ચુક્યા છો,
જો હજુ તમારી પાસે ન હાર્યું એવું કોઈ ધન હોય તો બોલો.
યુધિષ્ઠિર બોલ્યા-હે સુબલપુત્ર,મારી પાસે જે અસંખ્ય ધન છે તે હું જાણું છું,તું મને ધન વિષે શા માટે પૂછે છે?
ચાલ હવે,દશલાખ શંકુ,પદ્મ,અર્બુદ,ખર્વ,શંખ,નિખર્વ,મહાપદ્મ,કોટિઓ,મધ્ય ને પરાર્ધ-આદિ ધનનો દાવ નાખ.
આ સાંભળીને છળનો આશ્રય કરનારા શકુનિએ પાસા નાખ્યા ને બોલ્યો-'એ બધું મેં જીતી લીધું' (5)
