II दुर्योधन उवाच II ए हि क्षत्तद्रौपदीमानयस्य प्रियां भार्या संमतां पाण्डवानां I
समार्जतां वेश्म परैतु शीघ्रं तत्रास्तु दासीर्भिर पुण्यशीला II १ II
દુર્યોધન બોલ્યો-એ વિદુર,અહીં આવો.તે પાંડવોની પ્રિય અને માનીતી પત્ની દ્રૌપદીને
અહીં લઇ આવો.તિરસ્કારથી આણેલી તે દ્રૌપદી,ઝટ અમારા ઘરમાં દાસી તરીકે વાસીદું કરે
ને એ પાપિણી,જ્યાં દાસીઓ રહે છે ત્યાં એમની સાથે ભલે રહે.

