II युधिष्ठिर उवाच II राजन किं करवामस्ते प्रशाप्यस्मांस्त्वमिश्वरः I नित्यं हि स्यातुमिच्छामस्तव भारत शासने II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે મહારાજ,અમે તમારું શું કામ કરીએ?તમે અમારા ઈશ્વર છો,
અમે નિત્ય તમારી આજ્ઞામાં રહેવા ઇચ્છીએ છીએ.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હા અજાતશત્રુ,તારું મંગલ થાઓ.તમે સૌ નિર્વિઘ્ને કલ્યાણપુર્વક જાઓ.ને મારી આજ્ઞાથી ધનસમેત તમારા રાજ્યનું શાસન કરો.મારી વૃદ્ધની એ શિખામણ સ્મરણમાં રાખવી કે,મારુ કહેલું સઘળું હિતકારી ને પરમકલ્યાણમય છે.તું તો ધર્મોની સૂક્ષ્મ ગતિ જાણે છે,તું વિનીત છે,ને વૃદ્ધોનો ઉપાસક છે.હે ભારત,જ્યાં બુદ્ધિ છે ત્યાં શાંતિ છે,તમે શાંત થઈને જાઓ.તે જ ઉત્તમ પુરુષો છે કે જેઓ વેરને ઓળખતા નથી.જેઓ માત્ર ગુણોને જ જુએ છે,અવગુણો સામે નજર નાખતા નથી અને કોઈની સાથે વિરોધ કરતા નથી.(6)


