અધ્યાય-૭૪-યુધિષ્ઠિરને જુગારનું ફરીથી આમંત્રણ
II जनमेजय उवाच II अनुज्ञातांस्तान् विदित्वां सरत्नधनसंचयान् I पांडवान् धार्तराष्ट्राणां कथ्मासी न्मनस्तदा II १ II
જન્મેજય બોલ્યા-આમ,પાંડવોને રત્ન ને ધન સહિત જવાની આજ્ઞા મળેલી સાંભળીને,
ધૃતરાષ્ટ્રના પુત્રોના મનમાં કેવું થયું હતું?
વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રે,પાંડવોને ધનસાહિત વિદાય આપી છે તે સાંભળીને દુઃશાસન શીઘ્ર,મંત્રીઓ સાથે બેઠેલા પોતાના ભાઈ દુર્યોધન પાસે ગયો ને દુઃખથી આર્ત થઈને કહેવા લાગ્યો કે-'હે મહારથીઓ,મહાકષ્ટે મેળવેલા ધનને પેલા બુઢ્ઢા બાપે રોળી નાખ્યું છે અને તે સર્વ ધન શત્રુઓને સોંપી દીધું છે' આથી તરત જ,દુર્યોધન,કર્ણ અને શકુનિ,ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા અને ત્યાં દુર્યોધન કોમળ વચને,તેમને કહેવા લાગ્યો કે--(6)



