Aug 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-282

 
અધ્યાય-૭૫-ગાંધારીનાં વચન 

II वैशंपायन उवाच II अथाब्रवीन्महाराज धृतराष्ट्रं जनेश्वरम् I पुत्रहार्दाद्धर्मयुक्ता गान्धारी शोककर्शिता II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પુત્રસ્નેહથી શોક વિહવળ થયેલી ને ધર્મમાં પરાયણ એવી ગાંધારીએ,ધૃતરાષ્ટ્રને કહ્યું કે-

'દુર્યોધનનો જન્મ થયો હતો ત્યારે વિદુરે કહ્યું હતું કે આ કુલકલંકને પરલોકમાં પહોંચાડી દો તો સારું.જન્મતાં જ તે શિયાળની જેમ ભૂંક્યો હતો.કુરુઓ,આ સમજી લે કે-તે કુળનો ખરેખર ઉચ્છેદક છે.હે ભારત,તમે જાતના દોષ વડે મહાજલમાં ડૂબો નહિ,ને અસભ્ય મૂર્ખ લોકોની વાતને ટેકો આપો નહિ.તમે કુળના નાશના કારણરૂપ ન થાઓ.

Aug 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-281

 
અનુદ્યુત પર્વ 

અધ્યાય-૭૪-યુધિષ્ઠિરને જુગારનું ફરીથી આમંત્રણ 

II जनमेजय उवाच II अनुज्ञातांस्तान् विदित्वां सरत्नधनसंचयान् I पांडवान् धार्तराष्ट्राणां कथ्मासी न्मनस्तदा II १ II

જન્મેજય બોલ્યા-આમ,પાંડવોને રત્ન ને ધન સહિત જવાની આજ્ઞા મળેલી સાંભળીને, 

ધૃતરાષ્ટ્રના પુત્રોના મનમાં કેવું થયું હતું?

વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રે,પાંડવોને ધનસાહિત વિદાય આપી છે તે સાંભળીને દુઃશાસન શીઘ્ર,મંત્રીઓ સાથે બેઠેલા પોતાના ભાઈ દુર્યોધન પાસે ગયો ને દુઃખથી આર્ત થઈને કહેવા લાગ્યો કે-'હે મહારથીઓ,મહાકષ્ટે મેળવેલા ધનને પેલા બુઢ્ઢા બાપે રોળી નાખ્યું છે અને તે સર્વ ધન શત્રુઓને સોંપી દીધું છે' આથી તરત જ,દુર્યોધન,કર્ણ અને શકુનિ,ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા અને ત્યાં દુર્યોધન કોમળ વચને,તેમને કહેવા લાગ્યો કે--(6)

Aug 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-280

 
અધ્યાય-૭૩-પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ 

II युधिष्ठिर उवाच II राजन किं करवामस्ते प्रशाप्यस्मांस्त्वमिश्वरः I नित्यं हि स्यातुमिच्छामस्तव भारत शासने II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહારાજ,અમે તમારું શું કામ કરીએ?તમે અમારા ઈશ્વર છો,

અમે નિત્ય તમારી આજ્ઞામાં રહેવા ઇચ્છીએ છીએ.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હા અજાતશત્રુ,તારું મંગલ થાઓ.તમે સૌ નિર્વિઘ્ને કલ્યાણપુર્વક જાઓ.ને મારી આજ્ઞાથી ધનસમેત તમારા રાજ્યનું શાસન કરો.મારી વૃદ્ધની એ શિખામણ સ્મરણમાં રાખવી કે,મારુ કહેલું સઘળું હિતકારી ને પરમકલ્યાણમય છે.તું તો ધર્મોની સૂક્ષ્મ ગતિ જાણે છે,તું વિનીત છે,ને વૃદ્ધોનો ઉપાસક છે.હે ભારત,જ્યાં બુદ્ધિ છે ત્યાં શાંતિ છે,તમે શાંત થઈને જાઓ.તે જ ઉત્તમ પુરુષો છે કે જેઓ વેરને ઓળખતા નથી.જેઓ માત્ર ગુણોને જ જુએ છે,અવગુણો સામે નજર નાખતા નથી અને કોઈની સાથે વિરોધ કરતા નથી.(6)

Aug 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-279

 
અધ્યાય-૭૨-ભીમસેનનો ક્રોધ 

II कर्ण उवाच II या न श्रुता मनुप्येषु स्त्रियो रूपेण संमता: I तासामेताद्रशं कर्म न कस्याश्चन शुश्रुम II १ II

કર્ણ બોલ્યો-આપણે મનુષ્યોમાં જે સ્વરૂપવતી સ્ત્રી વિશે સાંભળ્યું છે,તેમાં કોઈ પણ સ્ત્રીનું આ દ્રૌપદી જેવું કર્મ સાંભળવામાં આવ્યું નથી.જયારે પૃથાપુત્રો પર ધૃતરાષ્ટ્રપુત્રો અત્યંત ક્રોધયુક્ત થયા,ત્યારે દ્રુપદપુત્રી કૃષ્ણા અહીં,પાંડુપુત્રો માટે શાંતિરૂપ થઇ,જળમાં પડી ડૂબકાં ખાઈ રહેલા પાંડવો માટે પર લઇ જનાર નૌકારૂપ થઇ છે.

Aug 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-278

 
અધ્યાય-૭૧-દ્રૌપદીને વરદાન 

II कर्ण उवाच II त्रयः किलेमे ह्यधना भवन्ति दासांपुत्रश्चास्वतंत्रा च नारी I 

दासस्य पत्नी त्वधनस्य भद्रे हीनेश्वरा दासधनं च सर्वम् II १ II

કર્ણ બોલ્યો-દાસ,પુત્ર ને પરાધીન સ્ત્રી,એ ત્રણ નિર્ધન જ ગણાય છે.આથી હે ભદ્રા,નિર્ધન એવા દાસની,

હીન પતિવાળી સ્ત્રી અને દાસનું ધન એ બધું દાસના સ્વામીનું જ છે એવો નિયમ છે,તો તું અંદર જઈ રાજપરિવારની સેવા કર.એવો અહીં આદેશ આપવામાં આવે છે.હવેથી સર્વ ધૃતરાષ્ટ્રપુત્રો જ તારા સ્વામીઓ ગણાશે.નહિ કે પૃથાપુત્રો ! હે ભામિની,તું જો તત્કાલ બીજા પતિને વરી લે તો જુગટા વડે આવેલું દાસીપણું તને આવશે નહિ.સૌ પાંડવો હાર્યા છે

ને તું પણ પરાજય પામી છે,માટે તે હારેલા પાંડવો તારા પતિ રહ્યા નથી.

દ્રુપદની પુત્રીને સભાની વચ્ચે દાવમાં મુકી રમનાર યુધિષ્ઠિર પોતાનું આ પરાક્રમ કેમ ન માને? માને જ.(5)