અધ્યાય-૭૯-કુંતીનો વિલાપ
II वैशंपायन उवाच II तस्मिन् संप्रस्थिते कृष्णा पृथां प्राप्य यशस्विनीं I अप्रच्छदमृशदुखार्ता यास्चान्यास्तत्रयोपितः II १ II
વૈશંપાયન બોલ્યા-યુધિષ્ટિરે ત્યાંથી ચાલવા માંડ્યું,એટલે કૃષ્ણા,યશસ્વિની કુંતી પાસે ગઈ.અત્યંત દુખાર્ત થયેલી તેણે,પોતાની સાસુની અને બીજી સ્ત્રીઓને યથાયોગ્ય વંદન કરી રજા માગી.દ્રૌપદીને જતી જોઈ કુંતી અત્યંત સંતાપ પામી અને શૉકથી વિહવળ થયેલી વાણીમાં બોલી-'હે દ્રૌપદી,આ મહાસંકટમાં આવ્યાથી તારે શોક કરવો નહિ.તું સ્ત્રીઓના ધર્મને જાણે છે,તું શીલ અને આચારવાળી છે.તારા સ્વામીઓ સંબંધમાં હું તને શો ઉપદેશ આપી શકું? તું ગુણવતી છે ને પિયર અને સાસરું-એ બંને કુળોને તે શોભાવ્યા છે.આ કુરુઓનું ભાગ્ય છે કે તેં એમને બાળી મુક્યા નથી.તારો માર્ગ નિર્વિઘ્ન હો,તું મારો માતાનો વાત્સ્લય ગુણ ધરીને વનમાં જા.(6)


