Sep 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-287

 
અધ્યાય-૮૦-વિદુર,ધૃતરાષ્ટ્ર ને દ્રોણનાં વચન 

II वैशंपायन उवाच II तमागतमथोराजा विदुरं दीर्घदर्शनम् I साशंक इव पप्रच्छ धृतराष्ट्रोSम्बिकासुत II १ II

વૈશંપાયન બોલ્યા-હવે,આવી પહોંચેલા,તે દીર્ઘદર્શી વિદુરેને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રે શંકાશીલ થઇ પૂછ્યું કે-

'હે વિદુર,પાંચે પાંડવ ભાઈઓ,દ્રૌપદી ને ધૌમ્ય ઋષિ,એ બધાં કેવી રીતે વનમાં જઈ રહ્યાં છે? 

તે હું સાંભળવા ઈચ્છું છું,તમે તેમની તમામ ચેષ્ટાઓ મને કહો.(3)

વિદુર બોલ્યા-યુધિષ્ઠિર,વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકીને જાય છે,ભીમ વારંવાર પોતાના બે વિશાળ હાથોને જોતો જોતો જાય છે,અર્જુન પગથી રેતી ઉડાવતો ઉડાવતો યુધિષ્ઠિરને અનુસરી રહ્યો છે,સહદેવ મુખને લપેટા 

લગાવીને ચાલે છે ને નકુલ સર્વાંગે ધૂળ ચોળીને વિહ્વળ ચિત્તે યુધિષ્ઠિરને અનુસરી રહ્યો છે,કૃષ્ણા,પોતાના 

મુખને વાળોથી  ઢાંકીને રોતી રોતી રાજાની પાછળ ચાલે છે.ને ધૌમ્ય મુનિ હાથમાં દર્ભ લઈને 

યમદેવતાના ભયંકર સામમંત્રો ગાતા ગાતા માર્ગ પર ચાલ્યા જાય છે (8)

Aug 31, 2023

Dongreji Ramyan Katha-05-ડોંગરેજી રામાયણ કથા-05

આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-05-62 MB File


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-286

અધ્યાય-૭૯-કુંતીનો વિલાપ 

II वैशंपायन उवाच II तस्मिन् संप्रस्थिते कृष्णा पृथां प्राप्य यशस्विनीं I अप्रच्छदमृशदुखार्ता यास्चान्यास्तत्रयोपितः II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ટિરે ત્યાંથી ચાલવા માંડ્યું,એટલે કૃષ્ણા,યશસ્વિની કુંતી પાસે ગઈ.અત્યંત દુખાર્ત થયેલી તેણે,પોતાની સાસુની અને બીજી સ્ત્રીઓને યથાયોગ્ય વંદન કરી રજા માગી.દ્રૌપદીને જતી જોઈ કુંતી અત્યંત સંતાપ પામી અને શૉકથી વિહવળ થયેલી વાણીમાં બોલી-'હે દ્રૌપદી,આ મહાસંકટમાં આવ્યાથી તારે શોક કરવો નહિ.તું સ્ત્રીઓના ધર્મને જાણે છે,તું શીલ અને આચારવાળી છે.તારા સ્વામીઓ સંબંધમાં હું તને શો ઉપદેશ આપી શકું? તું ગુણવતી છે ને પિયર અને સાસરું-એ બંને કુળોને તે શોભાવ્યા છે.આ કુરુઓનું ભાગ્ય છે કે તેં એમને બાળી મુક્યા નથી.તારો માર્ગ નિર્વિઘ્ન હો,તું મારો માતાનો વાત્સ્લય ગુણ ધરીને વનમાં જા.(6)

Aug 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-285

અધ્યાય-૭૮-પાંડવોનું વનપ્રસ્થાન 

II युधिष्ठिर उवाच II आमन्त्रयामि भरतांस्तथा वृध्धं पितामहम् I राजानं सोमदत्तं च महाराजं च बाल्ह्कम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-ભરતવંશીઓને,વૃદ્ધ પિતામહને,સોમદત્તને,બાહલીકને,દ્રોણાચાર્યને,કૃપાચાર્યને,વિદુરને,સર્વ ધૃતરાષ્ટ્ર પુત્રોને,યુયુત્સુને,સંજયને અને અન્ય સર્વ સભાસદોને હું પ્રણામ કરું છું ને સર્વની રાજા લઈને હું જાઉં છું,

હવે,પાછો આવીને જ હું તમારાં સર્વનાં દર્શન પામીશ' સર્વ સભાસદો શરમને લીધે કશું બોલ્યા નહિ,

માત્ર મનથી જ નીચી નજરે તેમણે યુધિષ્ઠિરનું કલ્યાણ ચિંતવ્યું.(4)

Dongreji Ramyan Katha-04-ડોંગરેજી રામાયણ કથા-04

આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-04-78 MB File