ઉભા રહીને,સૂર્યને પુષ્પાદિક પૂજા ને બલિઓથી અર્ચન આપ્યું.માત્ર વાયુનું ભક્ષણ કરીને તે જિતેન્દ્રિય
ધર્માત્મા યોગમાં વિરાજ્યા અને ગંગાજળનું આચમન કરીને પ્રાણાયામમાં પરાયણ થયા.
પછી વાણીને નિયમમાં રાખીને તેમણે પવિત્ર રહીને આ સ્તોત્રનો પ્રારંભ કર્યો (35)
ઉભા રહીને,સૂર્યને પુષ્પાદિક પૂજા ને બલિઓથી અર્ચન આપ્યું.માત્ર વાયુનું ભક્ષણ કરીને તે જિતેન્દ્રિય
ધર્માત્મા યોગમાં વિરાજ્યા અને ગંગાજળનું આચમન કરીને પ્રાણાયામમાં પરાયણ થયા.
પછી વાણીને નિયમમાં રાખીને તેમણે પવિત્ર રહીને આ સ્તોત્રનો પ્રારંભ કર્યો (35)
II वैशंपायन उवाच II शौनकेनैवमुक्तस्तु कुन्तीपुत्रो युधिष्ठिर: I पुरोहितमुपागम्य भ्रातृमध्येSब्रवीदिदम् II १ II
વૈશંપાયન બોલ્યા-શૌનકે આ પ્રમાણે કહ્યું એટલે કુંતીપુત્ર યુધિષ્ઠિર ધૌમ્ય પુરોહિતની પાસે ગયા ને ભાઈઓની સમક્ષ બોલ્યા કે-'વેદમાં પારંગત એવા આ બ્રાહ્મણો આપણી પાછળ આવી રહયા છે,પણ અત્યંત દુઃખમાં આવી પડેલો હું,તેમનું પોષણ કરવાને ને તેમને દાન આપવાને શક્તિમાન નથી,ને હું તેમનો ત્યાગ પણ કરી શકું એમ નથી. તો હે ભગવન,મને કહો કે આ સંબંધમાં મારે શું કરવું ઉચિત છે?' (3)
ઘરમાંથી ક્યારેય નાશ પામતાં નથી.અતિથિની બાબતમાં આ સનાતન ધર્મ છે કે-
ને એમાં પણ 'વિષયો પ્રત્યે ભાવ' (ભાવ-રૂપી-સંકલ્પ) મહા અનર્થકારી મનાય છે. (29)
II वैशंपायन उवाच II प्रभातायां तु शर्वर्या तेषामक्लिष्त्कर्मणाम् I वनं पिपासतां विप्रास्तस्थुर्भिक्षामुजोSप्रतः II १ II
વૈશંપાયન બોલ્યા-બીજા દિવસે સવારે,પાંડવો સાથે વનમાં સાથે જવાની ઈચ્છાવાળા,ભિક્ષાભોગી વિપ્રો,
ઉત્તમકર્મી પાંડવોની સામે આવીને ઉભા રહ્યા ત્યારે યુધિષ્ઠિરે તેમને કહ્યું કે-'અમારું ઐશ્વર્ય હરાઈ ગયું છે,એથી ફળ,મૂળ અને માંસનો આહાર કરતા અમે વનમાં જઈશું.વનમાં અનેક દોષો હોય છે,ત્યાં વાઘો ને સર્પો હોય છે,
એટલે હું માનું છું કે તમને ત્યાં નક્કી ક્લેશ થશે અને બ્રાહ્મણોનો થયેલો ક્લેશ દેવોને પણ નાશ કરે છે,
તો પછી અમારું તો શું ગજું? માટે,કૃપા કરી તમે અહીંથી પાછા વળો (4)