અધ્યાય-૨૬-બકદાલભ્યનો ઉપદેશ
II वैशंपायन उवाच II वतत्सु ते वै द्वैतवने पांडवेपु महात्मसु I अनुकीर्ण महारण्यं ब्राह्मणैः संपद्यत II १ II
વૈશંપાયન બોલ્યા-મહાત્મા પાંડવો દ્વૈતવનમાં વસવા લાગ્યા,ત્યારથી તે મહાન અરણ્ય બ્રાહ્મણોથી જાણે ઉભરાઈ ગયું.હતું.ચારે બાજુ ગાજી રહેલા બ્રહ્મઘોષને લીધે એ દ્વૈતવન સરોવર બ્રહ્મલોકના જેવું પાવનકારી થયું હતું.
આમ એક બાજુ બ્રાહ્મણોના વેદધ્વનિ ગાજતા હતા તો બીજી બાજુ પાંડવોના ધનુષ્યટંકાર સાંભળતા હતા.
એક વખતે,ઋષિઓથી વીંટાયેલા ને સંધ્યોપાસનામાં બેઠેલા યુધિષ્ઠિરને બકદાલભ્ય મુનિએ કહ્યું કે-




