અધ્યાય-૩૪-યુધિષ્ઠિરનાં વાક્યો
II वैशंपायन उवाच II
स एवमुक्तस्तु महानुभावः सत्यव्रतो भीमसेन राजा I अज्ञातशत्रुस्तदनन्तरं वै धैर्यान्वितो वाक्यमिदं चमापे II १ II
વૈશંપાયન બોલ્યા-ભીમસેને આ પ્રમાણે કહ્યું ત્યારે મહાનુભાવ,સત્યપ્રતિજ્ઞ અને અજાતશત્રુ યુધિષ્ઠિર બોલ્યા કે-
'હે ભારત,તું મને વાગ્બાણોથી વીંધીને ક્ષીણ કરે છે,તું કહે છે તે નિઃસંશય સાચું છે,ને તું પ્રતિકૂળ થયો છે તે માટે હું તને ઠપકો આપતો નથી.મારા દુર્વર્તનથી જ તમને સંકટ આવ્યું છે.મેં દુર્યોધન સામે મેં જુગટાનો સ્વીકાર કર્યો,પણ કપટી શકુનિ દુર્યોધનને બદલે મારી સામે રમવા આવી બેઠો,ને કપટથી એણે સભા વચ્ચે પાસા નાખીને,નિષ્કપટી એવા મને હરાવ્યો.ને તેથી આવેલી આપત્તિ હું જોઉં છું.શકુનિના પાસાઓને તેની ઈચ્છા મુજબ પડતા જોઈને પણ,હું મારી જાતને (મનને) વશમાં રાખી શક્યો નહિ.હે ભાઈ,આ મનને વશ કરી શકાતું નથી.



