અધ્યાય-૩૯-કિરાત અને અર્જુનનું યુદ્ધ
II वैशंपायन उवाच II गतेषु तेपु सर्वेपु तपस्विपु महात्मसु I पिनाकपाणिर्भगवान सर्वपापहरो हरः II १ II
વૈશંપાયન બોલ્યા-તે સર્વ તપસ્વી મહાત્માઓ જયારે ગયા,તે પછી,સર્વ પાપને હરનારા ને હાથમાં પિનાકને ધારણ કરનારા ભગવાન શંકરે તેજસ્વી કિરાત (ભીલ) નો વેશ ધારણ કર્યો.ને હાથમાં ધનુષ્ય ને સર્પ જેવાં તીક્ષણ બાણો લઈને
તે મહાવેગથી નીચે ઉતર્યા.તે વખતે ઉમાદેવી ને વિવિધ વેશધારી ભૂતો તેમને અનુસરી રહ્યાં હતાં.




