Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 13, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-339
અધ્યાય-૫૦-પાંડવોના આહારનું વર્ણન
II जनमेजय उवाच II यदि दंशोचित्तं राज्ञा धृतराष्ट्रेन वै मुने I प्रव्राज्य पांडवान्वीरात्सर्वमेतन्निरर्थकम् II १ II
જન્મેજય બોલ્યા-હે મુનિ,વીર પાંડવોને વનમાં કાઢ્યા પછી રાજા ધૃતરાષ્ટ્રે આ જે શોક કર્યો હતો તે નિરર્થક હતો,
કેમ કે મહારથી પાંડુપુત્રોને કોપાવનાર,એ અલ્પબુદ્ધિ દુર્યોધનની તેમણે તે વખતે કેમ ઉપેક્ષા કરી હતી?
હવે મને કહો કે તે પાંડવોનો વનમાં શો આહાર હતો? તેઓ વગડાઉ ખાતા હતા કે ખેડેલું ખાતા હતા?(3)
Nov 12, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-338
અધ્યાય-૪૯-ધૃતરાષ્ટ્રનો ખેદ
II संजय उवाच II यदेतत्कचितं राजंस्त्वया दुर्योधनं प्रति I सर्वमेतयथातत्वं नैतन्मिथ्या महीपते II १ II
સંજય બોલ્યો-હે મહીપતિ,તમે દુર્યોધન સંબંધમાં જે કહ્યું તે બધું સાચું જ છે,તેમાંનું કશું મિથ્યા નથી.પોતાની ધર્મપત્ની કૃષ્ણાને સભામાં ઘસડી લાવવામાં આવેલી જોઈને તે પાંડવો ક્રોધથી ઘેરાયા છે.દારુણ ફળ લાવનારાં તે કર્ણ અને દુઃશાસનનાં વચનો સાંભળીને તે પાંડવો ઉંઘશે નહિ.એમ મારુ માનવું છે.હે રાજન,મેં સાંભળ્યું છે કે-
દેવાધિદેવ શિવજી,પોતે જ જિજ્ઞાસા માટે કિરાતનો વેશ લઈને અર્જુન સામે લડ્યા હતા,
ત્યારે અર્જુને તેમને પ્રસન્ન કર્યા છે.ને તેમની પાસેથી પાશુપતાસ્ત્ર મેળવ્યું છે,
Nov 11, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-337
અધ્યાય-૪૮-ધૃતરાષ્ટ્રના ઉદગાર
II जनमेजय उवाच II अत्यद्भुतमिदं कर्म पार्थस्यामिततेजसः I धृतराष्ट्रो महाप्राज्ञः श्रुत्वा विप्र किमब्रवीत II १ II
જન્મેજય બોલ્યા-અમાપ તેજસ્વી એવા તે પૃથાનંદનનું આ અદભુત કર્મ સાંભળી ધૃતરાષ્ટ્ર શું બોલ્યા હતા?
વૈશંપાયન બોલ્યા-દ્વૈપાયન ઋષિ પાસેથી,'અર્જુન ઇંદ્રલોકમાં ગયો છે' એ સાંભળીને ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું કે-
'હે સૂત,ધીમાન પાર્થનું કર્મ મેં સાંભળ્યું છે,તું પણ એને યથાર્થ જાણે છે.પણ મૈથુન કાર્યમાં ગાંડો થયેલો મંદબુદ્ધિ,
પાપી વિચારવાળો ને દુર્બુદ્ધિવાળો મારો પુત્ર,આ પૃથ્વીનો ઘાણ જ કાઢશે એમ લાગે છે.(4)


