અધ્યાય-૭૨-નળના દેહમાંથી કલિનું નાસવું
II बृहदश्च उवाच II स नदीपर्वताश्चैव वनानि च सरांसि च I अचिरेणातिचक्राम खेचरः खेचरन्निव II १ II
બૃહદશ્વ બોલ્યા-'ઋતુપર્ણનો તે રથ,આકાશચારી પંખીની જેમ,નદીઓ,પર્વતો અને સરોવરોને પલકારામાં વટાવી ગયો.તેવામાં ઋતુપર્ણે પોતાનું ઉપરણું નીચે પડી જતું જોયું.એટલે તેણે નળને કહ્યું કે-'તું રથ ઉભો રાખ,આ વાર્ષ્ણેય
મારો ઉડી ગયેલો દુપટ્ટો લઇ આવે' નળે ઉત્તર આપ્યો કે-'આપણે ત્યાંથી એક જોજન દૂર આવી ગયા છીએ,એટલે તે
પાછું લાવી શકાય તેમ નથી.કેમ કે તેથી સમય બરબાદ થશે ને આપણે સમયસર પહોંચી શકીશું નહિ'



