Dec 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-379

 

ત્યાં વાસુકિના ભોગવતીતીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.વળી,ત્યાં હંસપ્રપતન ને દશાશ્વમેધીક તીર્થ છે. ગંગામાં ગમે ત્યાં સ્નાન કર્યું હોય તો કુરુક્ષેત્ર સમાન ફળ મળે છે,જો કે કનખલમાં વિશેષ ફળ ને પ્રયાગમાં તો અતિમહાન ફળ મળે છે.સેંકડો દુષ્કર્મો કર્યા છતાં જો ગંગાસ્નાન કરે તો તેના પાપો બળી જાય છે.

સતયુગમાં સર્વ તીર્થો,ત્રેતામાં પુષ્કરતીર્થ,દ્વાપરમાં કુરુક્ષેત્ર તીર્થ ને કળિયુગમાં ગંગાતીર્થ એ પવિત્ર કહેવાય છે.

Dec 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-378

 

ત્યાંથી,જે ગોદાવરી નદીએ જાય છે તે ગોમેઘ યજ્ઞફળ મેળવે છે ને વાસુકી લોકમાં જાય છે.વેણાના સંગમમાં સ્નાન

કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.જે વરદાના સંગમમાં સ્નાન કરે છે તે સહસ્ત્ર ગોદાન ફળ પામે છે.

પછી જે બ્રહ્મસ્થાને જઈ ત્રણ રાત્રિના ઉપવાસ રાખે છે તે સહસ્ત્ર ગોદાન દળ પામે છે,ત્યાંથી,જે કુશપ્લવન જઈ ત્રણ રાત્રિનો વાસ ને સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે.પછી જે,અરણ્યમાં કૃષ્ણા ને વેણાના જલમાંથી છૂટેલા

દેવહૃદ ને જાતિસ્મરહ્રુદમાં સ્નાન કરે છે તે પૂર્વજન્મનું સ્મરણ પામે છે.(38)

Dec 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-377

 

અધ્યાય-૮૫-તીર્થવર્ણન (ચાલુ)


II पुलस्त्य उवाच II अथ संध्यां समासाद्य संवेद्यं तीर्थमुत्तमं I उपस्पृश्य नरो विद्यां लभते नाव संशयःII १ II

પુલસ્ત્ય બોલ્યા-તે પછી,સંધ્યા સમયે ઉત્તમ સંવેદ્ય નામના તીર્થમાં જઈ જે સ્નાન કરે તે વિદ્યા પામે છે,એમાં સંશય નથી.પૂર્વે શ્રીરામચંદ્રના પ્રભાવ વડે લૌહિત્યતીર્થ નિર્માણ થયેલું છે તેમાં જવાથી,મનુષ્ય વિપુલ સુવર્ણ મેળવે છે.

ત્યાંથી કરતોયામાં જઈ જે ત્રણ રાત્રિના ઉપવાસ કરે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે.ત્યાં ગંગાસાગરના સંગમમાં જે સ્નાન કરે તેને અશ્વમેઘનું દશગણું ફળ મળે છે.ને ગંગાની સામે પર જઈ ત્રણ રાત્રિનો વાસ કરે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.પછી,વૈતરણી નદીએ જઈ ત્યાંથી વિરજ તીર્થમાં જવાથી મનુષ્ય ચંદ્રની જેમ શોભી રહે છે,

પોતાના કુળને પાવન કરે છે,કુળને તારે છે,ને સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે.(7)

Dec 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-376

 

ત્યાંથી મહાદેવના ગૃધ્રવટ નામના સ્થાનમાં જઈ,ભસ્મથી સ્નાન કરી મહાદેવનાં દર્શન કરવાથી.બાર વર્ષના તપનું ફળ મળે છે.પછી,ઉદ્યન્ત નામના પર્વત પર સાવિત્રીની પાદુકાના દર્શન કરી સંધ્યોપાસના કર્યાથી બાર વર્ષ સુધી સંધ્યોપાસના કર્યાનું ફળ મળે છે.ત્યાં જ પ્રસિદ્ધ યોનિદ્વાર છે,ત્યાં જવાથી પરુષ યોનિસંકટમાંથી છૂટે છે.

જે ગયામાં એક માસ વાસ કરે છે તે પોતાની સાત પેઢીને પવિત્ર કરે છે (97)

Dec 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-375

 

ત્યાંથી રુદ્રાવર્ત જઈ ત્યાં સ્નાન કરવાથી સ્વર્ગલોક મળે છે.જે ગંગા અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે ને સ્વર્ગલોકમાં જાય છે.જે ભદ્રકર્ણેશ્વર તીર્થમાં જઈ દેવની યથાવિધિ પૂજા કરે છે તે દુર્ગતિ પામતો નથી

ને સ્વર્ગલોકમાં પૂજ્ય થાય છે.ત્યાંથી કુબ્જામ્રક તીર્થમાં જવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.

પછી,અરૂંધતીવટ તીર્થમાં જઈ સામુદ્રકતીર્થમાં સ્નાન કરે છે ને ત્રણ રાત્રિના ઉપવાસ કરે છે તે અનુક્રમે 

અશ્વમેઘ યજ્ઞફળ ને સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે ને પોતાના કુળનો ઉદ્ધાર કરે છે.(42)