અધ્યાય-૯૦-ઉત્તર દિશાનાં તીર્થો
II धौम्य उवाच II उदीच्यां राजशार्दूल दिशि पुण्यानि यानि वै I तानि ते कीर्त्तयिष्यामि पुण्यान्यायतनानि च II १ II
ધૌમ્ય બોલ્યા-હે રાજસિંહ,હવે ઉત્તર દિશામાં જે પવિત્ર પુણ્યસ્થાનો આવ્યાં છે તે હું વર્ણવીશ,તે સાંભળો
ઉત્તરમાં અનેક તીર્થો વડે સુશોભિત સરસ્વતી નદી છે,ને મહાવેગવાળી યમુના નદી છે.ત્યાં પ્લક્ષાવતરણ નામે
શુભ ને પવિત્ર તીર્થ છે.ત્યાં યજ્ઞો કરીને બ્રાહ્મણો સરસ્વતી જળથી અવભૃત સ્નાન કરીને સ્વર્ગમાં જાય છે.
ત્યાં અગ્નિશિર નામે દિવ્ય,પુણ્યકારી ને મંગલ સ્થાન છે કે જ્યાં સૃન્જય પુત્ર સહદેવે,અગ્નિઓ સ્થાપીને
લાખોની દક્ષિણા આપી હતી.તે જ સ્થાને રાજા ભારતે એકસો અડતાલીસ અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.
બ્રાહ્મણોની કામના પુરી કરનાર પ્રસિદ્ધ શરભંગ મુનિનો આશ્રમ પણ ત્યાં જ આવ્યો છે (9)




