યમ બોલ્યો-'તેં જે વચન કહ્યું તે મનને અનુકૂળ,જ્ઞાનીની બુદ્ધિને વધારનારૂ અને યુક્તિપુર:સર છે.
હે ભામિની,આ સત્યવાનના જીવન સિવાય,બીજું ગમે તે એક વરદાન માગી લે'
સાવિત્રી બોલી-'મારા સસરાને તેમનું છીનવી લીધેલું રાજ્ય પાછું મળે'
યમ બોલ્યો-'તેં જે વચન કહ્યું તે મનને અનુકૂળ,જ્ઞાનીની બુદ્ધિને વધારનારૂ અને યુક્તિપુર:સર છે.
હે ભામિની,આ સત્યવાનના જીવન સિવાય,બીજું ગમે તે એક વરદાન માગી લે'
સાવિત્રી બોલી-'મારા સસરાને તેમનું છીનવી લીધેલું રાજ્ય પાછું મળે'
II मार्कण्डेय उवाच II अथ भार्यासहायः स फ़लान्यादाय वीर्यवान I कठिनं पूरयामास ततः काष्टान्यपाटयत II १ II
માર્કંડેય બોલ્યા-પછી,પત્નીના સાથવાળા તે વીર્યવાન સત્યવાને ફળો વીણીને ટોપલી ભરી અને પછી લાકડાં ચીરવા માંડ્યા.પરિશ્રમને કારણે તેને પરસેવો થઇ આવ્યો ને માથામાં વેદના થવા લાગી એટલે તે પત્ની પાસે જઈને કહેવા
લાગ્યો કે-'હે સાવિત્રી મારા માથામાં વેદના થાય છે ને મારા હૃદયમાં ને મારા ગાત્રોમાં દાહ થાય છે.
મને ઠીક લાગતું નથી,હું સુઈ જવા ઈચ્છું છું,મારામાં ઉભા રહેવાની પણ શક્તિ નથી'
II मार्कण्डेय उवाच II ततः काले बहुतिथे व्यतिक्रान्ते कदाचन I प्राप्तः स कालो मर्तव्यं यत्र सत्यवता नृप II १ II
માર્કંડેય બોલ્યા-હે રાજા,આમ,ઘણો સમય વીતી ગયો ને સત્યવાનના મરણનો સમય આવી પહોંચ્યો.સાવિત્રી એક એક દિવસ જતાં,બાકી રહેલા દિવસની ગણતરી રાખ્યા કરતી હતી.પછી,'આજથી ચોથે દહાડે સત્યવાનનું અવસાન છે'
એમ વિચારીને એ ભક્તિસંપન્ન સાવિત્રી ત્રિરાત્રવ્રત કરીને રાતદિવસ વ્રતનિષ્ઠ રહી.
સાવિત્રીના આ નિયમવ્રત વિશે સાંભળીને દ્યુમત્સેનને અત્યંત દુઃખ થયું ને તેણે સાવિત્રીને કહ્યું કે-
'તેં આ અતિ તીવ્ર વ્રતનો આરંભ કર્યો છે,પણ ત્રણ દિવસ સુધી અનશન રાખવું અતિ કઠિન છે'
II मार्कण्डेय उवाच II अथ कन्या प्रदाने स तमेवार्थ विचिंतयन I समानिन्ये च तत्सर्व भांडं वैवाहिकं नृपः II १ II
માર્કંડેય બોલ્યા-પછી,રાજા અશ્વપતિ,કન્યાદાન સંબંધમાં વિચાર કરીને વિવાહ અંગેની સામગ્રીઓ એકઠીકરવા લાગ્યો.પછી એક પુણ્યદિવસે તે દ્વિજો,ઋત્વિજો,પુરોહિતો ને પુત્રી સાથે વનમાં દ્યુમત્સેનના આશ્રમે જવા નીકળ્યો.
ત્યાં પહોંચી તેણે તે રાજર્ષિની યથાયોગ્ય પૂજા કરીને પોતાની ઓળખાણ આપી તેમને કહ્યું કે-
'હે રાજર્ષિ,આ સાવિત્રી નામની મારી કન્યાને આપ તમારી પુત્રવધુ તરીકે સ્વીકારો.મૈત્રીપૂર્વક હું તમને પ્રણામ કરું છું,
તમે મને ના પાડશો નહિ.તમે મારે માટે ને હું તમારા માટે યોગ્ય ને અનુરૂપ છીએ.માટે મારી પુત્રીને સ્વીકારો'