Jul 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-577

 

અધ્યાય-૪-ધૌમ્ય મુનિનો ઉપદેશ 


II युधिष्ठिर उवाच II कर्मान्युक्तानि युष्माभिर्यानि यानि करिष्यथ I मम चापि यथा बुद्धिरचित विधिनिश्चयात II १ II

યુધિષ્ઠિર બોલ્યા-તમે જે જે કાર્યો ત્યાં કરશો તે તે તમે મને કહ્યાં,ને મેં પણ વિધિના નિશ્ચયથી મને બુદ્ધિથી જે ઉચિત લાગ્યું છે તે તમને કહ્યું છે.હવે આપણા ધૌમ્ય પુરોહિત,સર્વ બ્રાહ્મણો સહિત દ્રુપદરાજને ત્યાં જાય અને ત્યાં આપણા અગ્નિહોત્રો તથા તેના પાત્રોનું રક્ષણ કરે.આ ઇંદ્રસેન આદિ સારથિઓ ખાલી રથોને લઈને દ્વારકા જાય એવું મારુ માનવું છે.દ્રૌપદીની પરિચારિકાઓ,રસોઈયાઓ આદિ પાંચાલ દેશમાં જાઓ અને તે સૌએ એમ જ કહેવું કે-'પાંડવો વિશે અમને કંઈ જ ખબર નથી,તે સર્વે અમને દ્વૈતવનમાં છોડીને ચાલી ગયા છે'

Jul 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-576

 

અધ્યાય-૩-અજ્ઞાતવાસ સંબંધી વધુ મંત્રણા 


II वैशंपायन उवाच II 

इत्येवमुक्त्वा पुरुषप्रविरस्तथार्जुनो धर्मम्रुतां वरिष्ठः I वाक्यं तथासौ विरराम भूयो नृपोपरं भ्रातरभाव भापे II १ II

વૈશંપાયન બોલ્યા-ધર્મધારીઓમાં શ્રેષ્ઠ અને પુરુષોમાં પ્રવીર એવા અર્જુને આ પ્રમાણે કહીને વિરામ લીધો 

પછી યુધિષ્ઠિરે નકુલને પૂછવા માંડ્યું કે-'હે નકુલ,તું વિરાટરાજમાં શું કામ કરીશ તે મને કહે'

નકુલ બોલ્યો-'હું વિરાટરાજનો 'ગ્રંથિક' નામે અશ્વપાલ થઈશ,કેમ કે હું અશ્વવિદ્યાનું જ્ઞાન ધરાવું છું.ને મને 

એ કામ અત્યંત પ્રિય છે.વિરાટનગરમાં મને જો કોઈ પૂછશે તો હું કહીશ કે-પૂર્વે યુધિષ્ઠિરે મને હયશાળાનો 

અધ્યક્ષ કર્યો હતો.આ પ્રમાણે હું વિરાટનગરમાં ગુપ્ત રીતે વિચરીશ' (6)

Jul 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-575

 

અધ્યાય-૨-અજ્ઞાતવાસ વિશે વિચારણા (ચાલુ)


II भीमदेव उवाच II पौरोगवो ब्रुहाणोहं बल्लवो नाम भारत I उपस्थास्यामि राजानं विराटमिति मे मतिः  II १ II

ભીમસેન બોલ્યો-હે ભારત,હું મારી જાતને 'બલ્લવ' નામના પૌરોગવ (રસોડાનો ઉપરી) તરીકે ઓળખાવી

વિરાટરાજની સેવા કરીશ,એવો મારો વિચાર છે.હું રસોડાના કામમાં કુશળ છું એટલે રાજા માટે,પહેલાંના

રસોઇયાઓએ જે રસોઈ બનાવી હશે તેના કરતા પણ સરસ વાનગીઓ બનાવીને રાજાને પ્રસન્ન કરીશ.

વળી,હું લાકડાઓના મોટા ભારાઓ લઇ આવીશ,મારું આ કાર્ય જોઈને રાજા મને રસોઈ કામમાં મુકશે.

Jul 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-574

 

(૪) વિરાટ પર્વ

પાંડવ પ્રવેશ પર્વ 

અધ્યાય-૧-અજ્ઞાતવાસ માટે યુધિષ્ઠિરની મંત્રણા 

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.


II जनमेजय उवाच II कथं विराटनगरे मम पुर्वपितामहा: I अज्ञातवाससमुपिता दुर्योधनभयार्दिता : II १ II 

જનમેજય બોલ્યા-'દુર્યોધનના ભયથી પીડાયેલા એવા મારા પૂર્વપિતામહ પાંડવો કેવી રીતે વિરાટનગરમાં 

ગુપ્તવેશે રહ્યા? વળી,બ્રહ્મવાદિની,પતિવ્રતા ને મહાભાગ્યવતી દ્રૌપદી કેવી રીતે ગુપ્ત રહ્યાં?