અધ્યાય-૩૧-વિરાટરાજનો રણઉદ્યોગ
II वैशंपायन उवाच II ततस्तेषां महाराज तत्रैवामिततेजसाम् I छद्मलिंग[प्रविष्टानां पांडवानां महात्मानम् II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,અમાપ તેજવાળા અને કપટવેશમાં રહેલા તે મહાત્મા પાંડવોનો,અજ્ઞાતવાસનો સમય ત્યાં,વિરાટનગરમાં રહેતાં ને રાજાના કાર્યો કરતાં સારી રીતે વીતી ગયો.કીચક માર્યો ગયો પછી વિરાટરાજા યુધિષ્ઠિર પર સારી આશા રાખી રહ્યો હતો.ત્યાં તેરમા વર્ષની આખરે,સુશર્માએ આવીને વિરાટરાજના પુષ્કળ ગોધનને વેગપૂર્વક કબ્જે કરી લીધું.ત્યારે ગોપોનો અઘ્યક્ષ સભામાં દોડી આવ્યો ને વિરાટરાજને કહેવા લાગ્યો કે-
'સુશર્માએ અમારા બાંધવોને પરાભવ આપીને તે તમારી એકલાખ ગાયોને હાંકી જાય છે,તો તેનું રક્ષણ કરો'