Sep 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-619

 

અધ્યાય-૫૨-વનવાસનાં વર્ષોનો નિર્ણય ને વ્યૂહરચના 


II भीष्म उवाच II कलाः काष्ठाश्च युज्यंते मुहुर्ताश्व दिनानि च I अर्धमासाश्व नक्षत्राणि ग्रहास्तथा II १ II

ભીષ્મ બોલ્યા-કલા,કાષ્ઠા,મુહૂર્ત,દિવસ,પક્ષ,નક્ષત્ર,ગ્રહ,ઋતુ અને સંવત્સર એ સૌના યોગથી કાળગણના થાય છે ને એ રીતે 

કાળવિભાગ પ્રમાણે કાળચક્ર ચાલ્યા કરે છે.તેમાં કાળના અતિરેકથી અને નક્ષત્રોના વ્યતિક્રમને લીધે જે ભેદ પડે છે તે દૂર કરવાને માટે પ્રત્યેક પાંચ પાંચ વર્ષે,બબ્બે માસ ઉમેરવામાં આવે છે,એ રીતે જોતાં,પાંડવોને તેર વર્ષ ઉપર પાંચ મહિના અને બાર રાતો વધારે થાય છે,એમ મારુ માનવું છે.તેમને જે પ્રતિજ્ઞા કરી હતી તે તેમણે યથાર્થ પાળી છે.અને ખાતરીપૂર્વક જાણ્યા પછી જ અર્જુન અહીં યુદ્ધ કરવા સામે આવ્યો છે.તે સર્વ પાંડવો ધર્મ ને અર્થમાં નિષ્ણાત છે,તેઓ નિર્લોભી છે ને તેમણે દુષ્કર કાર્યો કર્યા છે,તેથી તેઓ કેવળ ઉલટા ઉપાયથી રાજ્ય મેળવવાની ઈચ્છા કરે તેમ નથી.

Sep 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-618

 
અધ્યાય-૫૧-ભીષ્મે સાંત્વન કર્યું 

II भीष्म उवाच II साधु पश्यति वै द्रौणिः कृपः साध्वनुपश्यति I कर्णस्तु क्षात्रधमण केवलं योद्धवुमिच्छति II १ II
ભીષ્મ બોલ્યા-આ દ્રોણપુત્ર અને કૃપાચાર્ય યોગ્ય જ કહે છે.એક આ કર્ણ જ કેવળ ક્ષાત્રધર્મથી યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે.
પણ,વિદ્વાન પુરુષે આચાર્યને દોષ દેવો યોગ્ય નથી,દેશકાળને જોઈને જ યુદ્ધ કરવું જોઈએ એમ હું પણ માનું છું.
જેના સૂર્ય જેવા તેજસ્વી ને પ્રહાર કરનારા પાંચ શત્રુઓ (પાંડવો) છે એ શત્રુઓનો ઉદય થાય ત્યારે પંડિત મનુષ્ય પણ કેમ મૂંઝવણમાં ન પડે? સર્વ ધર્મવેત્તા મનુષ્યો પણ સ્વાર્થની વાતમાં મૂંઝાઈ પડે છે.કર્ણે,આચાર્યની નિંદા કરનારાં જે વચન કહ્યાં તે તો આચાર્યમાં તેજ પ્રગટાવવા માટે છે માટે અશ્વસ્થામા તેને ક્ષમા કરે,કેમ કે અત્યારે આપણી સમક્ષ મોટું કામ આવી ઉભું છે.

Sep 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-617

 

અધ્યાય-૫૦-અશ્વસ્થામાનું ભાષણ 


II अश्वस्थामा उवाच II न च ताव्ज्विता गावो न च सिमांतरं गताः I न हस्तिनापुरं प्राप्तास्तवं च कर्ण विकत्थसे II १ II

અશ્વસ્થામા બોલ્યો-હે કર્ણ,હજુ તો આ ગાયો હસ્તિનાપુરમાં પહોંચી નથી ને તું શેની બડાશો મારે છે? શૂરાઓ તો સંગ્રામો જીતીને

પોતાના પરાક્રમની કશી લાંબીચોડી વાતો કરતા નથી.અગ્નિ બોલ્યા વિના જ બળે છે,સૂર્ય મૌન રહીને જ ઝળહળે છે.

જુગટાથી ને છેતરપિંડીથી,ક્રૂર અને નિર્લજ્જ દુર્યોધને રાજ્ય મેળવ્યું છે,ને આવા રાજ્યથી કયો ક્ષત્રિય સંતોષ લઇ શકે?

કે કોણ તેની બડાઈ હાંકી શકે? આજે મેળવેલું ગૌધન શું તેં કોઈ સામે યુદ્ધ કરીને મેળવ્યું છે? કયા યુદ્ધમાં તેં પાંડવોના એકને

પણ જીત્યો છે? કયા યુદ્ધમાં ઇન્દ્રપ્રસ્થ પર વિજય મેળવ્યો છે? કયા યુદ્ધમાં દ્રૌપદીને જીતી હતી? 

Sep 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-616

 

અધ્યાય-૪૯-કૃપાચાર્યનું ભાષણ 


II कृप उवाच II सदैव तव राधेय युद्धे क्रुरतरा मतिः I नार्थानां प्रकृतिं वेत्सि नानुवन्धमवेक्षसे II १ II

કૃપ બોલ્યા-હે રાધેય,યુદ્ધના વિષયમાં તારી મતિ સદૈવ ક્રૂર હોય છે પણ તું કાર્યનું સ્વરૂપ જાણતો નથી અને તેના પરિણામને પણ લક્ષમાં લેતો નથી.શાસ્ત્રનો આધાર લઈને અનેક કપટયુક્તિઓ વિચારાઈ છે પણ તેમાં યુદ્ધ એ સૌથી પાપિષ્ટ છે એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે.દેશ અને કાળને અનુસરીને કરવામાં આવેલું યુદ્ધ જ વિજયદાયી ને કલ્યાણકારી છે.ઊંડો વિચાર કરવામાં આવે તો જણાશે કે જેણે એકલાએ જ ખાંડવ વનમાં અગ્નિને તૃપ્ત કર્યો હતો,તે એકલો જ જો અહીં આપણી સામે ચડી આવ્યો હશે તો તેની સામે યુદ્ધ કરવામાં આપણે સમર્થ નથી.એણે એકલાએ જ સુભદ્રાનું હરણ કરી,કૃષ્ણ ને બલરામને યુદ્ધનું આહવાન આપ્યું હતું,એણે એકલાએ જ કિરાતરૂપમાં રહેલા શિવ સાથે યુદ્ધ કર્યું હતું,

Sep 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-615

 
અધ્યાય-૪૮-કર્ણની બડાઈ 

II कर्ण उवाच II सर्वानायुष्मतो भीतान संत्रस्तानिव लक्षये I अयुद्वमनसश्चैव सर्वाश्वैवानवस्थितान् II १ II
કર્ણ બોલ્યો-મને તો તમે સર્વ વૃદ્ધો,ભયભીત થયેલા અને સર્વશઃ અસ્થિરચિત્ત બની ગયેલા લાગો છો.અહીં સામે મત્સ્યરાજ કે અર્જુન ગમે તે આવ્યો હોય,પણ હું તેમને,જેમ કિનારા સમુદ્રને અટકાવી રાખે છે તેમ તેમને અટકાવી રાખીશ.મારા હાથનાં બાણો,જેમ તીડો,વૃક્ષને ઢાંકી દે છે,તેમ તે પૃથાપુત્રને ઢાંકી દેશે.મારા સુવર્ણ બાણોથી આકાશ આગિયાથી છવાઈ ગયેલા જેવું જણાશે.પૂર્વે વચનથી સ્વીકારેલું દુર્યોધનનું ઋણ,આજે હું આ સંગ્રામમાં અર્જુનને હણીને વાળી દઈશ.જેમ,ગરુડ,સાપને પકડી લે છે તેમ આજે હું તે અર્જુનને મારા બાણોથી વિવશ કરીને રથમાંથી જ પકડી લઈશ.