અધ્યાય-૬૭-ઉત્તરનું નગરાગમન
II वैशंपायन उवाच II ततो विजित्य संग्रामे कुरुन्स वृषभेक्षण : I स मानयामास तदा विराटस्य धनं महत् II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે વિશાળ દ્રષ્ટિવાળા અર્જુને કુરુઓને સંગ્રામમાં હરાવીને વિરાટરાજનું ગોધન પાછું વાળ્યું.
વિરાટનગર તરફ પાછા વળતાં અર્જુને,ઉત્તરને કહ્યું કે-'સર્વ પૃથાપુત્રો તારા પિતા પાસે રહે છે તે હવે તું જાણે છે પણ
ત્યાં જઈને તું એ પાંડુપુત્રોની પ્રશંસા કરીશ નહિ કેમ કે મત્સ્યરાજ કદાચિત ભયભીત થઈને મરણ પામે.તું નગરમાં
જઈને પિતાને એમ જ કહેજે કે-મેં જ કુરુઓની સેનાને હરાવી છે ને ગાયોને પાછી વાળી છે'