Oct 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-656

 

અધ્યાય-૧૯-યુધિષ્ઠિર અને દુર્યોધનના પક્ષમાં સૈન્યની જમાવટ 


II वैशंपायन उवाच II युयुधानस्ततो वीरः सात्वतानां महारथः I महता चतुरंगेण बलेनागायुधिष्ठिरं II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,યાદવોનો મહારથી વીર સાત્યકિ,મોટી ચતુરંગિણી સેના લઈને યુધિષ્ઠિરની પાસે આવ્યો.જુદા જુદા દેશમાંથી આવીને ભેગા થયેલા મહાપરાક્રમવાળા તથા અનેક પ્રકારના આયુધોવાળા તેના યોદ્ધાઓ તેની સેનાને શોભાવતા હતા.હે રાજા,સાત્યકિની તે અક્ષૌહિણી સેના,યુધિષ્ઠિરની સેનામાં,જેમ નદી સાગરમાં સામે જાય તેમ સમાઈ ગઈ.સાત્યકિની જેમ જ ચેદીવંશમાં શ્રેષ્ઠ ધૃષ્ટકેતુ,એક અક્ષૌહિણી સેના લઇને આવ્યો.મગધદેશનો રાજા,જરાસંઘનો પુત્ર જયત્સેન પણ એક અક્ષૌહિણી સેના લઈને આવ્યો.

Oct 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-655

 

અધ્યાય-૧૮-યુધિષ્ઠિરને સાંત્વન આપી શલ્ય દુર્યોધન પાસે ગયો 


II शल्य उवाच II ततः शक्रः स्तुयमानो गन्धर्वाप्सरसां गणैः I ऐरावतं समारुह्य द्विपेन्द्र लक्षणैर्युतम् II १ II

શલ્યે કહ્યું-પછી,ગંધર્વો અને અપ્સરાઓએ જેની સ્તુતિ કરી તેવો તે વૃત્રસંહારક ઇન્દ્ર,સુંદર લક્ષણવાળા ઐરાવત હાથી પર બેસીને,અગ્નિ,બૃહસ્પતિ,યમ,વરુણ,કુબેર,સર્વ દેવતા,ગંધર્વો અને અપ્સરાઓથી વીંટાઇને સ્વર્ગમાં ગયો.

ત્યાં તે ઇન્દ્ર ઈન્દ્રાણીને મળીને આનંદ પામ્યો અને સર્વ લોકનું પાલન કરવા લાગ્યો.

તે પછી,ત્યાં અંગિરામુનિ આવ્યા અને તેમણે,અથર્વવેદના મંત્રોથી દેવેન્દ્રની સ્તુતિ કરી.કે જેથી ઇન્દ્રે પ્રસન્ન થઈને અંગિરામુનિને વર આપ્યો કે-અથર્વવેદમાં તમારું નામ અથર્વાગિરસ તરીકે પ્રસિદ્ધ થશો.એમાં પ્રમાણ તમે જે અથર્વવાક્ય (अथ वेदरूपं यस्य वाक्यं स ऋषि) બોલ્યા તે જ થશે.વળી તમને યજ્ઞમાં ભાગ પણ મળશે.

આમ કહીને ઇન્દ્રે અથર્વાગિરાનો સત્કાર કરીને તેમને વિદાય કર્યા.(9)

Oct 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-654

 

અધ્યાય-૧૭-નહુષ સર્પ થઈને પડ્યો 


II शल्य उवाच II अथ संचित्यानास्य देवराजस्य धीमतः I नहुषस्य वधोपायं लोकपालैः सदैवतैः II १ II

શલ્યે કહ્યું-'પછી,બુદ્ધિમાન ઇન્દ્ર,લોકપાલો અને દેવતાઓની સાથે નહુષના વધનો વિચાર કરતો હતો,એટલામાં ત્યાં અગસ્ત્ય ઋષિ દ્રષ્ટિ ગોચર થયા,તેમણે દેવેન્દ્રનું સન્માન કરીને કહ્યું કે-તમે વૃદ્ધિ પામ્યા તે સારું થયું.આજે જ નહુષ દેવરાજ્યથી ભ્રષ્ટ થયો છે,એ તમારું મહદભાગ્ય છે.હે ઇન્દ્ર,હવે હું તમને શત્રુ રહિત થયેલા જોઉં છું'

ઇન્દ્રે તેમનું પૂજન કરીને પૂછ્યું કે-તે નહુષ સ્વર્ગમાંથી કેવી રીતે ભ્રષ્ટ થયો?તે હું સાંભળવા ઈચ્છું છું'

Oct 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-653

 

અધ્યાય-૧૬-ઇન્દ્ર તથા વરુણ આદિનો સંવાદ 


II बृहस्पति उवाच II त्वामग्ने सर्व देवानां मुखं त्वमसि हव्यवाट् I त्वमंतः सर्वभूतानां गूढश्चरसि साक्षिवत II १ II

બૃહસ્પતિ બોલ્યા-'હે અગ્નિ,તમે સર્વ દેવોનું મુખ છો,તમે હવ્યને વહન કરો છો અને સર્વ પ્રાણીમાં સાક્ષીની જેમ ગૂઢ રીતે ફરો છો,કેટલાએક વિદ્વાનો તમને જઠરાગ્નિ રૂપે એક કહે છે તો કેટલાએક ગાર્હપત્ય,દક્ષિણાગ્નિ તથા આહવનીય રૂપે-એમ ત્રણ પ્રકારે કહે છે.તમે જો આ જગતનો ત્યાગ કરો તો તે તુરત જ નાશ પામી જાય.

તમે આ ત્રણ લોકોને ઉત્પન્ન કરીને સંહારકાળ આવતાં પ્રદીપ્ત થઈને પુનઃ સંહાર કરો છો.

Oct 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-652

 

અધ્યાય-૧૫-નહુષને પાડવાની યુક્તિ 


II शल्य उवाच II एवमुक्तः स भगवान शच्या तां पुनरब्रवीत I विक्रमस्य न कालोऽयं नहुषो बलवत्तरः II १ II

શલ્યે કહ્યું-'એ પ્રમાણે ઈન્દ્રાણીએ કહ્યું ત્યારે ભગવાન ઇન્દ્રે તેને ફરીથી કહ્યું કે-'આ પરાક્રમ કરવાનો અત્યારે સમય નથી કેમ કે નહુષ મહાબળવાન થયો છે.ઋષિઓએ તેને હવ્યકવ્ય આપીને બહુ બળવાન બનાવી દીધો છે.પણ હું એક યુક્તિની યોજના કરું છું તે પ્રમાણે તારે કરવું અને આ વાત ગુપ્ત રાખીને તારે કોઈનેય કહેવી નહિ.તારે એકાંતમાં નહુષની પાસે જઈને કહેવું કે-હે નહુષ,તમે દિવ્ય પાલખીમાં બેસી તે ઋષિઓની પાસે ઉપડાવીને મારી પાસે આવો તો હું પ્રસન્ન થઈને તમારે વશ થઈને રહીશ-આવું તું તેને જઈને કહે'