ધૃતરાષ્ટ્ર બોલ્યા-પુણ્યકર્મ કરનારા દ્વિજાતિઓને પોતાના ધર્મના ફળરૂપ સનાતન લોકો મળે છે એમ વેદો કહે છે.
તેઓના ક્રમ કહો અને તેનાથી બીજા લોકો પણ કહો.હું નિષિદ્ધ તથા કામ્યકર્મ જાણવાની ઈચ્છા રાખતો નથી (26)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-પુણ્યકર્મ કરનારા દ્વિજાતિઓને પોતાના ધર્મના ફળરૂપ સનાતન લોકો મળે છે એમ વેદો કહે છે.
તેઓના ક્રમ કહો અને તેનાથી બીજા લોકો પણ કહો.હું નિષિદ્ધ તથા કામ્યકર્મ જાણવાની ઈચ્છા રાખતો નથી (26)
વિષયોને અનુસરનારો પુરુષ,વિષયોની પાછળ વિનાશ પામે છે અને જે પુરુષ વિષયોનો ત્યાગ કરે છે,તે જે કંઈ દુઃખરૂપ હોય તે સર્વનો નાશ કરે છે (13) વિષયની એ કામના,પ્રાણીઓને અજ્ઞાન કરનારી,વિવેકનો નાશ પમાડનારી તથા નરકરૂપ દુઃખદાયી જણાય છે.જેમ,મદિરાથી ગાંડા થયેલાઓ,માર્ગમાં ચાલતા,ખાડાઓ તરફ દોડે છે,તેમ,કામનાવાળા પુરુષો સુખ જેવા જણાતા,ભાર્યા વગેરે વિષયોની પાછળ દોડે છે (14)
II वैशंपायन उवाच II
ततो राजा धृतराष्ट्रो मनीषी संपूज्य वाक्यं विदुरेरितं तत् I सनत्सुजातं रहिते महात्मा पप्रच्छ्म् बुद्धिं परमां वुभुषन II १ II
વૈશંપાયને કહ્યું-પછી બુદ્ધિમાન તથા મહાત્મા ધૃતરાષ્ટ્ર રાજા,વિદુરનાં કહેલાં વાક્યને સારી રીતે અભિનંદન આપી,
પોતે પરબ્રહ્મરૂપ થવાની ઈચ્છાથી એકાંતમાં સનત્સુજાતને બ્રહ્મવિદ્યા પૂછવા લાગ્યા.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સનત્સુજાત,'મૃત્યુ નથી'એવું તમારું જે દ્રઢતાથી કહેવું છે,તે મેં વિદુરના મુખેથી સાંભળ્યું.
પણ (એવું પણ સંભળાય છે કે)દેવો-અસુરોએ મૃત્યુરહિત થવા માટે બ્રહ્મચર્ય પાળ્યું હતું,તો આ બંનેમાં સત્ય શું છે?