Dec 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-699

સનત્સુજાત બોલ્યા-હે રાજન,ક્રોધાદિક બાર દોષો અને તેર નૃશંગનો વર્ગ એ કલ્મષ (કામ-આદિ વાળું) તપ છે.

અને દ્વિજોના જાણીતા એવા ધર્માદિક બાર ગુણો છે કે જે પિતૃઓના શાસ્ત્રમાં કહેલા છે (15)

ક્રોધ,કામ,લોભ,મોહ,વિધિત્સા(તૃષ્ણા),અકૃપા(નિર્દયતા),અસૂયા(પારકામાં દોષ જોવા),માન,શોક,સ્પૃહા,

ઈર્ષ્યા અને જુગુપ્સા આ બાર મનુષ્યના દોષો છે તે મનુષ્યોએ સદા ત્યાગ કરવા યોગ્ય છે (16)

પારધી જેમ મૃગોનો લાગ ખોળે છે તેમ,આ દોષોમાંનો એકેક દોષ મનુષ્યોના છિદ્રો ચોમેરથી ખોળવાની ઉપાસના કરે છે (17)

Dec 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-698

 

અધ્યાય-૪૩-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II कस्यैष मौनः कतरन्नु मौनं प्रब्रूहि विद्विन्नीह मौनभावं I मौनेन विद्वानुत याति मौनं कथं मुने मौनमिहाचरन्ति II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે વિદ્વાન,મૌનનું પ્રયોજન શું છે?વાણીનો નિયમ અને નિદિધ્યાસન એ બેમાંથી કયું મૌન 

કહેવાય છે?મૌનનું લક્ષણ શું છે?મૌન દ્વારા વિદ્વાન પુરુષ મૌન (નિર્વિકલ્પ)પદને પામે છે કે કેમ? 

અને આ જગતમાં મૌનનું કેવી રીતે આચરણ કરાય છે? એ સર્વ મને સારી રીતે કહો 

સનત્સુજાત બોલ્યા-જે કારણથી,મનની સાથે વેદો,એ પરમાત્મામાં પ્રવેશ કરી શકતા નથી,તે કારણથી જ પરમાત્માનું નામ મૌન છે.જે પરમાત્મામાંથી વેદશબ્દ તથા આલૌકિક શબ્દ (ૐ)પ્રગટ થયો છે,તે ભૂમાત્મા (વ્યાપક)શબ્દમયપણાથી પ્રકાશે છે (2)

Dec 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-697

 

ધૃતરાષ્ટ્ર બોલ્યા-પુણ્યકર્મ કરનારા દ્વિજાતિઓને પોતાના ધર્મના ફળરૂપ સનાતન લોકો મળે છે એમ વેદો કહે છે.

તેઓના ક્રમ કહો અને તેનાથી બીજા લોકો પણ કહો.હું નિષિદ્ધ તથા કામ્યકર્મ જાણવાની ઈચ્છા રાખતો નથી (26)

Dec 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-696

 

વિષયોને અનુસરનારો પુરુષ,વિષયોની પાછળ વિનાશ પામે છે અને જે પુરુષ વિષયોનો ત્યાગ કરે છે,તે જે કંઈ દુઃખરૂપ હોય તે સર્વનો નાશ કરે છે (13) વિષયની એ કામના,પ્રાણીઓને અજ્ઞાન કરનારી,વિવેકનો નાશ પમાડનારી તથા નરકરૂપ દુઃખદાયી જણાય છે.જેમ,મદિરાથી ગાંડા થયેલાઓ,માર્ગમાં ચાલતા,ખાડાઓ તરફ દોડે છે,તેમ,કામનાવાળા પુરુષો સુખ જેવા જણાતા,ભાર્યા વગેરે વિષયોની પાછળ દોડે છે (14)

Dec 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-695

 

અધ્યાય-૪૨-સનત્સુજાતનો ઉપદેશ 


II वैशंपायन उवाच II 

ततो राजा धृतराष्ट्रो मनीषी संपूज्य वाक्यं विदुरेरितं तत् I सनत्सुजातं रहिते महात्मा पप्रच्छ्म् बुद्धिं परमां वुभुषन II १ II

વૈશંપાયને કહ્યું-પછી બુદ્ધિમાન તથા મહાત્મા ધૃતરાષ્ટ્ર રાજા,વિદુરનાં કહેલાં વાક્યને સારી રીતે અભિનંદન આપી,

પોતે પરબ્રહ્મરૂપ થવાની ઈચ્છાથી એકાંતમાં સનત્સુજાતને બ્રહ્મવિદ્યા પૂછવા લાગ્યા.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સનત્સુજાત,'મૃત્યુ નથી'એવું તમારું જે દ્રઢતાથી કહેવું છે,તે મેં વિદુરના મુખેથી સાંભળ્યું.

પણ (એવું પણ સંભળાય છે કે)દેવો-અસુરોએ મૃત્યુરહિત થવા માટે બ્રહ્મચર્ય પાળ્યું હતું,તો આ બંનેમાં સત્ય શું છે?