Apr 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-775

 

અધ્યાય-૧૧૪-યયાતિની પાસે યાચના


II नारद उवाच II अथाह गालवं दीनं सुपर्णः पततां वरः I निर्मितं वह्विना भृमौ वयुआ शोधितं तथा I 

यस्माद्विरमण्यं सर्व हिरण्यं तेन चोच्यते  II १ II

નારદે કહ્યું-પછી,તે પક્ષીશ્રેષ્ઠ ગરુડે તે દીન થયેલા ગાલવને કહ્યું કે-અગ્નિએ ભૂમિમાં સુવર્ણનું નિર્માણ કર્યું છે,વાયુએ તેને શુદ્ધ કર્યું છે ને તે સુવર્ણ જગતમાં મુખ્ય છે તેથી તેની નામ હિરણ્ય (કે ધન) કહેવાય છે.એ ધન ત્રણે લોકમાં નિત્ય રહેલું છે.

શુક્રવારે,પૂર્વા અથવા ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રનો યોગ આવતાં,અગ્નિ,પોતાના વીર્યરૂપ ધન,કુબેરના ભંડારની વૃદ્ધિ માટે મનુષ્યોને નિયમથી આપે છે,માટે ધનાર્થી મનુષ્યે અગ્નિની પ્રાર્થના કરવી.કુબેર અને બંને નક્ષત્રોના દેવતા (અજૈકપાત-અહિરબુધન્ય)એ ધનનું રક્ષણ કરે છે,માટે એ દેવોની પ્રાર્થના કરનારને ધન મળી શકે છે.ધન મહાદુર્લભ છે ને આમ બેસી રહેવાથી મળે તેવું નથી અને ધન વિના તને ઘોડાઓ મળવાના નથી.માટે તું કોઈ રાજાની પાસે ધનની યાચના કર.સોમવંશમાં ઉત્પન્ન થયેલો,નહુષનો પુત્ર,યયાતિ મારો મિત્ર છે,તેની પાસે કુબેર જેવો વૈભવ છે,માટે તેની પાસે આપણે જઈએ.હું કહીશ તો તે તને ધન આપશે.

Apr 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-774

 

અધ્યાય-૧૧૨-ગરુડનો વેગ 


II गालव उवाच II गरुत्मन्म न्भुजगेन्द्रारे सुपर्ण विनतात्मज I नय मां ताक्षर्य पूर्वेण यत्र धर्मस्य चक्षुषी II १ II

ગાલવે કહ્યું-'હે ગરુડ,હે નાગેન્દ્રશત્રુ,હે સુંદર પીંછાવાળા વિનતાપુત્ર,જ્યાં ધર્મનાં બે ચક્ષુઓ છે ત્યાં પૂર્વ દિશામાં તમે મને લઇ જાઓ,તમે સર્વ પ્રથમ એ દિશાનું  વર્ણન કર્યું છે અને દેવતાઓનો નિવાસ પણ એ દિશામાં જ કહ્યો છે,અને ધર્મ તથા સત્યની સ્થિતિ પણ એ દિશામાં જ છે.હું એ દિશામાં રહેલા સર્વ દેવોનાં દર્શન અને તેમના સમાગમ કરવાની ઈચ્છા રાખું છું.'

આમ,કહી,ગરુડના કહેવાથી ગાલવ મુનિએ ગરુડના પર સવારી કરી,ને ગરુડ અતિવેગથી ઉડવા લાગ્યો ત્યારે તેને કહ્યું કે-

Mar 31, 2025

Okha-Haran-Gujarati Book-ઓખાહરણ

This book is for Archive and online reading only-not downloadable

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-773

 

અધ્યાય-૧૧૧-ઉત્તર દિશાનું વર્ણન 


II गरुड उवाच II यस्मादुत्तार्यते पापाद्यस्मान्निः श्रेय्सोश्नुते I अस्मादुत्तारणबलादुत्तरेत्युच्यते द्विज II १ II

ગરુડે કહ્યું-હે દ્વિજ,આ દિશા પુરુષને પાપમાંથી તારે છે ને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે,આ ઉદ્ધાર કરવાના સામર્થ્યને લીધે એ ઉત્તર દિશા કહેવાય છે.આ દિશા ઉત્તમ સુવર્ણની ખાણ છે અને પૂર્વ તથા પશ્ચિમ દિશાની વચ્ચે જઈને જનારો સ્વર્ગમાર્ગ કહેવાય છે.

આ દિશામાં ક્રૂર,અવશ ચિત્તવાળા અને અધર્મી લોકોને સ્થાન મળતું નથી.આ દિશામાં બ્રહ્મા અને વિષ્ણુ બદરિકાશ્રમમાં વાસ કરે છે.આદિપુરુષ મહાદેવ પણ પ્રકૃતિરૂપ પાર્વતીની સાથે આ દિશામાં જ હિમાલયની સપાટી ઉપર નિત્ય નિવાસ કરે છે.તે મહાદેવને નરનારાયણ સિવાય બીજા મુનિગણો,ઇન્દ્રસહિત દેવો,ગંધર્વો કે સિદ્ધો પણ જોઈ શકતા નથી.(6)

Mar 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-772

 

અધ્યાય-૧૦૯-દક્ષિણ દિશાનું વર્ણન 


II गरुड उवाच II इयं विवस्वता पूर्व श्रोतेन विधिना किल I गुरवे दक्षिणा दत्ता दक्षिनेत्युच्यते च दिक् II १ II

ગરુડે કહ્યું-પૂર્વે,સૂર્યે વેદોક્ત વિધિથી આ દિશા કશ્યપ ગુરુને ગુરુદક્ષિણામાં આપી હતી તેથી આ દિશા દક્ષિણ કહેવાય છે.

ત્રણલોકના પિતૃગણો આ દિશામાં રહે છે.ઉષ્ણ અન્નનું ભોજન કરનારા ઉષ્મપ દેવોનો નિવાસ અહીં છે.અહીં વિશ્વદેવા દેવો પિતૃઓની સાથે રહે છે.આ દિશાને ધર્મનું બીજું દ્વાર કહેવામાં આવે છે અને અહીં ત્રુટિ તથા લય પર્યંત સૂક્ષ્મ કાળનો નિશ્ચય કરવામાં આવે છે.આ દિશામાં દેવર્ષિઓ,પિતૃલોકના ઋષિ અને સર્વ રાજર્ષિઓ સુખથી નિવાસ કરે છે,