Jul 2, 2021

Gujarati-Ramayan-Rahasya-05-ગુજરાતી-રામાયણ-રહસ્ય-05

ગાડી,વાડી,લાડી –વગેરે જો,શરીરને સદાને માટે સુખ આપતાં હોય-તેવું જો લાગતું હોય તો,શરીર બિમાર થાય અને અસ્વસ્થ બને તો તે સુખ કેમ સુખ લાગતું નથી? ઇન્કમટેક્સની રેડ પડે ત્યારે ગાડી-વાડી-કેમ દુઃખમય બની જાય છે? પેટમાં ચૂંક આવતી હોય તો શીખંડ-પુરી અને પકવાનનો થાળ કેમ સુખ આપતો નથી? નજીકના કોઈ સગાનું અચાનક મૃત્યુ થાય,ત્યારે “મારે પણ આ બધું છોડી મરવું પડશે-જવું પડશે” એ વિચારથી શોક કેમ થાય છે? દીકરો –દીકરી કહ્યામાં ના રહે,મન માની કરે-ત્યારે સંસાર કેમ ખારો થઇ જાય છે?

Jul 1, 2021

Gujarati-Ramayan-Rahasya-04-ગુજરાતી-રામાયણ-રહસ્ય-04

ઘણા મહાત્માઓ કહે છે કે-પરમાત્મા અંશી છે અને જીવ ઈશ્વરનો અંશ છે.
સોનાની લગડીનો ટુકડો જેમ સોનું જ છે,તેમ પૂર્ણ આનંદ ઈશ્વર (અંશી) નો અંશ પણ આનંદ સ્વ-રૂપ જ છે.
જેમ, જળનો સહજ ગુણ શીતળતા છે,જેમ,અગ્નિનો સહજ ગુણ  ઉષ્ણતા છે,
તેમ,જીવનો સહજ ગુણ આનંદ છે.પણ અવિદ્યા (અજ્ઞાન-માયા) રૂપી પડળ ફરી વળતાં જીવ તે વાત ભૂલી ગયો છે.તેને પોતાના સ્વ-રૂપનું વિસ્મરણ થયું છે.
જીવને આ ભૂલી ગયેલી વાતનું સ્મરણ થાય તેને માટે હરિકથા અને હરિનામનો આશ્રય લેવાનો છે.