Jul 15, 2021
Gujarati-Ramayan-Rahasya-15-ગુજરાતી-રામાયણ-રહસ્ય-15
એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં લખ્યું છે કે-યુદ્ધમાં લક્ષ્મણે ઇન્દ્રજીતનો હાથ કાપી નાખ્યો કે જે ઇન્દ્રજીતના આંગણામાં જઈને પડ્યો.એ જોઈને ઇન્દ્રજીતની પત્ની સુલોચના સતી થવા નીકળી,પણ ઇન્દ્રજીતનું મસ્તક રામજી પાસે હતું.તેથી રાવણે કહ્યું કે “તું રામજીની પાસે જા,એમના દર્શન કરી તારા પતિનું મસ્તક માગી લાવ”
ત્યારે નવાઈ પામી અને સુલોચના બોલી કે-તમે મને શત્રુની પાસે મોકલો છો?
રાવણે કહ્યું-હું રામને શત્રુ માનુ છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.
રાવણની રામ પ્રત્યે આવી શ્રદ્ધા હતી.અંતરથી તે રામને ઓળખાતો હતો.
રાવણે કહ્યું-હું રામને શત્રુ માનુ છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.
રાવણની રામ પ્રત્યે આવી શ્રદ્ધા હતી.અંતરથી તે રામને ઓળખાતો હતો.
Jul 14, 2021
Gujarati-Ramayan-Rahasya-14-ગુજરાતી-રામાયણ-રહસ્ય-14
રામજીની નજરમાં ઊંચ,નીચ,ગરીબ કે શ્રીમંત –એવો કોઈ ભેદભાવ નથી.આથી નાના-મોટા બધા સેવકો પુરા ભક્તિભાવથી તેમની સેવા કરે છે.એમની સેનામાં નથી પગારદાર નોકરો કે નથી ભીષણ શસ્ત્રાસ્ત્રો.
રાવણ લડવા માટે રથમાં બેસીને આવે છે,અને રામજી તો પગે ચાલી ને જ જાય છે.યુદ્ધ એમને પ્રિય નથી ,પણ ધર્મસંકટ છે.રાવણ રણમાં પડ્યો,ત્યારે તેની અંત્યેષ્ટિ ક્રિયા તેઓ રાજ-સન્માન-પૂર્વક અને વિધિપૂર્વક કરાવે છે.અને રાવણને વેદાવદ મહાત્મા તરીકે વર્ણવે છે.
રાવણ લડવા માટે રથમાં બેસીને આવે છે,અને રામજી તો પગે ચાલી ને જ જાય છે.યુદ્ધ એમને પ્રિય નથી ,પણ ધર્મસંકટ છે.રાવણ રણમાં પડ્યો,ત્યારે તેની અંત્યેષ્ટિ ક્રિયા તેઓ રાજ-સન્માન-પૂર્વક અને વિધિપૂર્વક કરાવે છે.અને રાવણને વેદાવદ મહાત્મા તરીકે વર્ણવે છે.
Jul 13, 2021
Subscribe to:
Posts (Atom)